Top Stories

માથાનો દુખાવો બનશે આ ઘાત, વાવાઝોડા શકિત થી ગુજરાતને કેટલી અસર? જાણો આગાહી

ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે. જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે. આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠાઓ સાથે ટકરાઈ શકે છે.

આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. આગામી 24 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.

ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જોખમ રહેશે. Mint ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે. જ્યારે TOI ના રિપોર્ટ મુજબ આંદમાન સાગર ઉપર 16થી 18 મે વચ્ચે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.

આ સિસ્ટમ 23થી 28 મે વચ્ચે સાઈક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે. જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી. પરંતુ તોફાન એક્ટિવ થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે આઈએમડીએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી. એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાઈક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે.

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જો કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ. બુધવારે ગુજરાતના 5 જિલ્લામાં વરસ્યો વરસાદ. વલસાડ, બોટાદ અને દાહોદમાં પડ્યો વરસાદ. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંદમાન સાગર પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે  16થી 22 મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિક્સિત થઈ શકે છે. આ સિસ્ટમ 23થી 28 મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે. જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે

ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મે ની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ભારતના કેરલ માં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે.