વાવાઝોડું તો નય આવે પરંતુ પવન અને વરસાદ માટે રહેજો તૈયાર, જાણી લેજો પરેશ ગોસ્વામીની આગાહી

વાવાઝોડું તો નય આવે પરંતુ પવન અને વરસાદ માટે રહેજો તૈયાર, જાણી લેજો પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ આગામી 12 થી 24 કલાકની અંદર મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ સિસ્ટમ અત્યારે ધીમે-ધીમે મજબૂત થઈ રહી છે. આ સિસ્ટમ સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતી, જે બાદ 21મેના રોજ મજબૂત થઈને લો પ્રેશર બન્યા બાદ આજે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની ચૂકી છે.

આવતીકાલે સાંજ સુધીમાં આ સિસ્ટમ વધારે મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જો કે આ સિસ્ટમની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ એટલે કે મુંબઈ ઉપર થઈને ઈશાન ખુણા તરફ આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ તેની અસર તો જોવા મળશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, નવસારી, બિલીમોરા અને ડાંગમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં સામાન્ટ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.

મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.