Top Stories
khissu

અનંત અંબાણી જામનગરમાં આ જગ્યાએ મનાવે છે વીકએન્ડ, કામ પર પૂરું ફોકસ, ભવિષ્યની યોજના વિશે પણ જણાવ્યું

Business News: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાના સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આખો અંબાણી પરિવાર પ્રી-વેડિંગ સેરેમનીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 

અનંત અંબાણીએ તેમના પ્રી-વેડિંગ પહેલા એક મીડિયા હાઉસને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં વન્યજીવો પ્રત્યેના તેમના પ્રેમ સહિત અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. આ ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈના છે એટલા જ જામનગરના છે. તેમને કહ્યું કે દાદા (ધીરુભાઈ અંબાણી)એ જામનગરમાં રિફાઈનરીનું સપનું જોયું હતું. પિતા (મુકેશ અંબાણી)એ આ પૂર્ણ કર્યું છે. આજે વિશ્વની સૌથી મોટી રિફાઈનરી જામનગરમાં છે.

સરકાર મફતમાં આપશે 300 યુનિટ વીજળી, આ મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે કરો અરજી, જાણો પ્રક્રિયા

દેશમાં ગ્રીન એનર્જી વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ પ્રોજેક્ટ તેમનો પેશન છે. આ માટે તે દરરોજ વધુમાં વધુ સમય કાઢે છે. શનિ-રવિની વાત કરતાં તેમણે કહ્યું કે જામનગર તેમનું ઘર છે. તેથી તે મોટાભાગે ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ રજા મળે ત્યારે તે જામનગર ચોક્કસ જતા રહે છે. વન્યજીવન પ્રત્યેના તેમના પ્રેમનો ઉલ્લેખ કરતા અનંત અંબાણીએ કહ્યું કે તેઓ માત્ર વન્યજીવ માટે જ જીવે છે. તે વિચારે છે કે દરરોજ કેટલા જીવ બચાવી શકાય. આ કામ માટે તે દરરોજ લગભગ બે કલાક કાઢે છે. તેમણે વન્યજીવોના સંરક્ષણ માટે થઈ રહેલી કામગીરી વિશે પણ માહિતી આપી હતી.

SIP કરવું જ જરૂરી નથી. પૈસા રોકી દો આ સરકારી સ્કીમમાં, કરોડપતિ બનવું હવે અઘરું નથી

અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વંતરા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. તેમણે જણાવ્યું કે વંતરા પ્રોગ્રામ હેઠળ અમે પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાની હેલ્થકેર, હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ખોલ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે પણ હાથ મિલાવ્યા છે. 

LIC ક્લેમ કેવી રીતે મેળવવો? ભાગ્યે જ કોઈને ખબર હોય તો.. ન જાણતા હોવ તો જાણી લો

તેમણે કહ્યું કે અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ તેને તેની માતા પાસેથી મળ્યો હતો. પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટનો ઉલ્લેખ કરતાં અનંત કહે છે, 'રાધિકા પણ પ્રાણીપ્રેમી છે. તે મને દરેક કામમાં મદદ કરે છે. અનંત અંબાણીએ જણાવ્યું કે તેમના માતા-પિતા મુકેશ અને નીતા અંબાણી પ્રાણીઓના ખૂબ શોખીન છે. તેઓ જ તેમને આ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે.

સોનાની જ્વેલરી ખરીદવાની શોખીન મહિલાઓ કરી રહી છે પારાવાર નુકસાન, જાણો કેમ અને કેમ બચવું

તેમણે કહ્યું કે દેશમાં 150 થી વધુ પ્રાણી સંગ્રહાલય છે, ઘણા વિભાગો જંગલોની સંભાળ રાખે છે. ઘણા ખાનગી પ્રાણી સંગ્રહાલય પણ છે. આ બધાને પ્રાણીઓના પરીક્ષણ માટે લેબની જરૂર પડે છે. તેમણે કહ્યું કે અમારી યોજના ભવિષ્યમાં એક એવું વિશેષ કેન્દ્ર બનાવવાની છે, જ્યાં વિશ્વભરમાંથી પ્રાણીઓના નમૂના પરીક્ષણ માટે આવી શકે.