Top Stories
khissu

95 વર્ષની ઉંમરે આ નાની બની ગયાં બિઝનેસવુમન, વાંચો તેમની સફળતાની કહાની

કહેવાય છે કે, જો હિંમત અને જોશ હોય તો કોઈ પણ ઉંમરે સફળતા મળી રહે છે. 90 વર્ષની ઉંમરના આ નાની એ, છેલ્લા 5 વર્ષમાં કમાલ કર્યો છે. મિત્રો, નાની માએ કંઈક એવું કરી બતાવ્યું જે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ન કરી શક્યા. તેમણે તેમના જુસ્સાને અનુસરવાનું શરૂ કર્યું અને હા, ચંદીગઢની આ નાનીએ લોકોના મોંમાં એવો સ્વાદ નાખ્યો કે હવે તેમના હાથની બનાવેલી ચણાની બરફી ખાવાથી જ લોકોની મીઠાશ પૂરી થાય છે. આ સક્સેસ સ્ટોરી વાંચ્યા પછી તમને પણ કંઈક કરવાનું ઝનૂન આવી જશે.

નાની એ આ રીતે શરૂ કર્યો બિઝનેસ
આજે આપણે વાત કરીએ છીએ ચંદીગઢમાં લાખોનો બિઝનેસ કરનાર 95 વર્ષીય હરભજન કૌર વિશે, જેમણે 90 વર્ષની ઉંમરમાં પોતાનું સપનું પૂરું કરવાનું વિચાર્યું હતું. પરિવારના સભ્યોનો સાથ મળ્યો, અને પછી નાનીએ પોતાનો બિઝનેસ પાટા પર લાવી દીધો. નાનીએ તેમના હાથથી ચણાના લોટની બરફી બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું. જે મિઠાઈને પરિવારના સભ્યોએ બજારમાં જઈને વેચી તો તેના સારા ભાવ મળ્યા. પછી ધીમે ધીમે લોકો તેમના ઘરે આવ્યા અને આ મીઠાઈની માંગ કરવા લાગ્યા. પરિવારના સભ્યો તેના કામમાં જોડાયા અને સોશિયલ મીડિયા પર માર્કેટિંગ શરૂ કર્યું. નાનીના હાથની ચણાની બરફી લોકોને પસંદ આવવા લાગી અને પછી કમાણી થવા લાગી.

ચણાની બરફી ખાઈને લોકો નાની માના ચાહક બની ગયા
થોડા સમય પછી, જ્યારે બજારમાં માંગ વધવા લાગી, ત્યારે બ્રાન્ડનું નામ હરભજનનું રાખવામાં આવ્યું અને માત્ર ચણાના લોટની બરફી જ નહીં પણ અથાણું, બદામનું શરબત, ગોળ આઈસ્ક્રીમ, લોટની પંજીરી, મસૂરની ખીર, ટામેટાની ચટણી વગેરે પણ બનાવવામાં આવી. પ્રોડક્ટનું પેકેજિંગ અને માર્કેટિંગ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને હવે તેને માત્ર ચંદીગઢ અને પંજાબના ઘણા શહેરોમાં જ નહીં પરંતુ એમેઝોન પરથી પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ 95 વર્ષીય હરભજન કૌરના વખાણ કર્યા હતા. તેણે હરભજન કૌરને 'એન્ટ્રપ્રિન્યોર ઑફ ધ યર'નો ખિતાબ આપ્યો છે.

બિઝનેસ વુમન
મળતી માહિતી મુજબ, હરભજન કૌરના પતિનું વર્ષ 2008માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યારથી તે પુત્રીના ઘરે રહેવા લાગ્યા હતા. ઘરમાં બધા કામ કરતા હતા જેના કારણે તેમને એકલપણું મહેસૂસ થતું હતું. પછી તેણે 90 વર્ષની ઉંમરે કામ કરવાનું નક્કી કર્યું અને હવે તેઓ લાખો રૂપિયાના માલિક છે અને શ્રેષ્ઠ બિઝનેસવુમન પણ બની ગયા છે.