khissu

ધડાધડ શહેરોના રસ્તા પર નોન વેજની દુકાનો પર પ્રતિબંધ, જાણો કેમ ઉઠાવવામાં આવી રહ્યું છે આ પગલું

 ગુજરાતના મોટા ભાગના શહેરોમાં રસ્અતા પર આવેલી નોન વેજની દુકાનો હટાવવામાં આવી રહી છે, અમદાવાદમાં મંગળવારથી જાહેર સ્થળો પરની નોન વેજની દુકાનો હટાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર સ્થળોએ ચેકિંગ કરીને આવી દુકાનો દૂર કરશે. આ દરમિયાન ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે આવી દુકાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ સોમવારે નિર્ણય લીધો હતો કે શહેરના જાહેર સ્થળોને માંસાહારી ખાણોની દુકાનોથી મુક્ત કરવામાં આવશે.

ઈન્ડિયન એક્સપ્રેસ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાનીએ કહ્યું છે કે - મુખ્ય રસ્તાઓ પરથી ઈંડા અને માંસની દુકાનોને ચેક કરવા અને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આવતીકાલે સવારથી આ દુકાનો હટાવી દેવામાં આવશે. તેમજ ધાર્મિક સ્થળો, બગીચા, જાહેર સ્થળો, શાળાઓથી 100 મીટરના અંતરમાં આ દુકાનો ખોલી શકાશે નહીં.

અર્બન બોડીના અધિકારીઓએ ફૂડ સ્ટોલ અને શેરી વિક્રેતાઓને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માંસ અને તેની વાનગીઓ સંપૂર્ણપણે ઢંકાયેલી હોય. જણાવવામાં આવી રહ્યું છે કે વડોદરામાં આ આદેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ દ્વારા મૌખિક રીતે જારી કરવામાં આવ્યો છે.  જો કે, સ્થાનિક અહેવાલો અનુસાર, આ આદેશને લઈને થોડી મૂંઝવણ છે કે છેલ્લા હિતેન્દ્ર પટેલના આ આદેશનો અમલ કેવી રીતે થશે.

અહેવાલો અનુસાર તમામ ફૂડ સ્ટોલની મુલાકાત લેવામાં આવી છે ખાસ કરીને જે માંસાહારી ખોરાક જેમ કે માંસ, માછલી અને ઇંડા ખુલ્લામાં વેચે છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે આરોગ્યપ્રદ કારણોસર ખોરાક સંપૂર્ણપણે ઢંકાયેલો છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. આવા ખાદ્યપદાર્થોના સ્ટોલ મુખ્ય માર્ગો પરથી દૂર કરવા જોઈએ કારણ કે તે ટ્રાફિક જામનું કારણ બની શકે છે.

હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રસ્તાની બાજુમાં ખુલ્લામાં માંસાહારી ખોરાક જોઈને અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. જોકે વર્ષોથી નોન-વેજ ફૂડ ખુલ્લામાં વેચાઈ રહ્યું છે, પરંતુ હવે તેને બદલવાનો સમય આવી ગયો છે.