khissu

Breaking News: IPL- ૨૦૨૧ અનિશ્ચિત સમય માટે સ્થગિત: IPL ચાહકોને મોટો ઝટકો, કોરના ના વધતા સક્રમણને કારણે લેવાયો નિર્ણય

ભારતીય ક્રિકેટ બોર્ડના નિયંત્રણ (Board of Control for Cricket in India- BCCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૧ (Indian Premier League- IPL-2021) ને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. આઈપીએલ્ના વધુ બે ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

આઈપીએલના વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાના અહેવાલોને પગલે આખરે આ વર્ષની આઈપીએલ મુલતવી રાખવામાં આવી છે. બીસીસીઆઈ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે આ સત્ર માટે આઈપીએલ મુલતવી રાખવામાં આવી છે. કારણ કે આ પહેલા પણ ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. બીસીસીઆઈ (BCCI) આઈપીએલ (IPL) ને કા તો એક જગ્યાએ સ્થાનાંતરિત કરશે કે અસ્થાયી રૂપે લીગને રોકી દેશે તે અંગે મંત્રણા કરી રહ્યા હતા. હવે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈપીએલ (IPL-2021) મોકૂફ રાખવામાં આવી છે. આઈપીએલ (IPL) ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના મતે મંગળવારે અમિત મિશ્રા અને વૃધ્ધિમન સાહાનો કોરોના પોઝીટીવ આવ્યા ની વાત જાણવા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીસીઆઈના ઘણા અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝીઓએ આઇપીએલ રદ કરવાની પુષ્ટિ કરી છે.

ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ એલ બાલાજી અને બસ ક્લીનર સહિત આઈપીએલના બે સભ્યોના કોવિડ -19 રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે. સીઈઓ (CEO) કાસી વિશ્વનાથનનો બીજો રીપોર્ટ સાંજે નકારાત્મક આવ્યો. જોકે બાલાજી અને ટીમ ડ્રાઇવર સકારાત્મક રહ્યા હતા. આ માહિતી સીએસકે (Chennai Super Kings- CSK) દ્વારા પણ આપવામાં આવી હતી.

અમદાવાદમાં સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders -KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore -RCB) વચ્ચેની આઇપીએલ 2021 મેચ કેકેઆર (KKR) ના સ્પિનર વરૂણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયરની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવતા આ મેચ સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

image widget