khissu

કપાસના ભાવમાં તેજીનો માહોલ યથાવત, ભાવ રૂપિયા 2000 સ્થિર, જાણો આજના ભાવ તેમજ આયુર્વેદિક ઉપચાર

ઉનાળુ મગફળીનાં આગોતરા વાવેતર ચાલુ થવાની સાથે બિયારણની માંગ પણ સારી નીકળી છે, જેને પગલે મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે. મગપળીનાં ભાવ ઉનાળુ વાવેતર સરેરાશ ખાસ વધે તેવી સંભાવનાં નથી, પંરતુ જેમને પાણી છે તેઓ ગવાર અને ઉનાળુ મગફળીનાં વાવેતર કરે તેવી સંભાવનાં દેખાય રહી છે. રાજકોટનાં એક અગ્રણી સીંગદાણાનાં બ્રોકરે જણાવ્યું હતું કે હાલમાં ટીજે ક્વોલિટીમાં ૬૦-૭૦ કાઉન્ટમાં રૂ.૯૪,૦૦૦ અને બોલ્ડમાં રૂ.૮૬,૦૦૦ના ભાવથી બિયારણબર દાણામાં વેપારો થઈ રહ્યાં છે. હાલ બિયારણ બનાવતી કંપનીઓની હોલસેલમાં ઘરાકી છે. ખેડૂતોની બિયારણમાં માંગ ૧૫મી જાન્યુઆરી બાદ નીકળે તેવી સંભાવનાં દેખાય રહી છે. ગોંડલમાં ૨૪ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૦૫૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૨૫ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી કેવી રહે છે તેના ઉપર જ આધાર રહેલો છે. જો વૈશ્વિક ભાવમાં સુધારો થશે તો બજારને ટેકો મળે તેવી પણ સંભાવનાં રહેલી છે.ઘઉંનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ઘઉંનાં ભાવમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો બજારમાં સુધારો આવશે, એ સિવાય ભાવ ટકી રહેશે. ઘઉંનાં ભાવ હાલ તુરંત બહુ ઘટી જાય તેવા સંજોગો નથી. નવો પાક બજારમાં આવશે ત્યાર બાદ બજારમાં ઘટાડો આવશે. ઘઉંનો પાક સારો થાય તેવી ધારણાં છે. અત્યાર સુધીનું વાતાવરણ પાકને સાનુકૂળ છે

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1500

2015

બાજરો 

330

430

જીરું

2850

3120

ઘઉં 

380

450

રાયડો 

1000

1275

ચણા 

725

917

મગફળી જીણી

950

1350

મગફળી જાડી

900

1054

લસણ

150

525

તુવેર

1000

1130

એરંડા

1051

1151

અડદ 

500

1370

મરચા સુકા 

500

3500

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1975

ઘઉં લોકવન

340

412

ઘઉં ટુકડા 

340

420

ચણા 

700

928

અડદ 

700

1318

તુવેર 

1050

1263

મગફળી ઝીણી 

800

1079

મગફળી જાડી 

750

1110

સિંગફાડા

1000

1260

તલ 

1800

2056

તલ કાળા 

1900

2400

જીરું 

2400

3080

ધાણા 

1300

1726

મગ 

770

1280

સોયાબીન 

1000

1309

રાઈ 

1375

1375 

મેથી 

975

975

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1620

2043

ઘઉં લોકવન 

402

433

ઘઉં ટુકડા

408

473

જુવાર સફેદ

335

565

બાજરી 

285

421

તુવેર 

1000

1245

મગ 

1011

1419

મગફળી જાડી 

901

1122

મગફળી ઝીણી 

885

1111

એરંડા 

1076

1157

અજમો 

1350

2060

સોયાબીન 

1175

1345

કાળા તલ 

1900

2575

લસણ 

150

354

ધાણા

1430

1646

મરચા સુકા 

1350

3200

જીરૂ

2910

3154

રાય

1300

1530

મેથી

920

1278

ઈસબગુલ

1650

2170

ગુવારનું બી 

1110

1134 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1601

1962

મગફળી 

870

1380

ઘઉં 

370

418

જીરું 

2800

3133

એરંડા 

1140

1176

ગુવાર 

900

1203

વરીયાળી  

1550

1661

અડદ 

400

1302 

ધાણા 

1400

1638

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

2000

ઘઉં 

390

438

જીરું 

2240

3100

એરંડા 

1090

1110

તલ 

1510

2088

મગફળી ઝીણી 

700

1341

તલ કાળા 

1590

2300

અડદ 

427

1411

ગુવારનું બી 

1015

 1015

સિંગદાણા 

1150

1445

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1250

2057

મગફળી 

800

1090

ઘઉં 

250

481

જીરું 

2300

3200

તલ 

1740

2100

બાજરો 

281

393

તુવેર 

995

1180

તલ કાળા 

1705

2480

અડદ 

520

1300

મઠ 

960

1665 

રાઈ 

1250

1450

વરીયાળી 

1350

1400

 દરેક ઋતુની જેમ શિયાળાની ઋતુમાં પણ ખાણીપીણીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. જેમ આપણે જાણીએ છીએ કે ઋતુ બદલાવાની સાથે આપણે આપણા આહારમાં ફેરફાર કરવો પડશે જેથી કરીને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ. શિયાળાની ઋતુમાં અમુક ખોરાક ખાવાથી આપણા શરીરને વિશેષ લાભ મળે છે. નિષ્ણાતોના મતે તમામ પ્રકારની ખજૂર માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં તેને ખાવું જ જોઈએ જેથી તમારું શરીર ગરમ રહે. ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદા...

ઠંડીથી રાહત
શિયાળામાં ઘણીવાર એવું જોવા મળે છે કે ઠંડી તમને પોતાની ઝપેટમાં લઈ લે છે. તેથી ખજૂરનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો શરદીની સમસ્યા સતત રહેતી હોય તો એક ગ્લાસ અને દૂધમાં 5-6 ખજૂર નાખી તેમાં પાંચ દાણા કાળા મરી, એક એલચી અને એક ચમચી ઘી નાખીને ઉકાળો. રાત્રે સૂતા પહેલા તેને પીવાથી શરદી અને ફ્લૂમાં આરામ મળે છે.

સંધિવાના દુખાવામાં ફાયદો થાય છે
શિયાળાની ઋતુમાં આર્થરાઈટીસનો દુખાવો વધી જાય છે. આવી સ્થિતિમાં ખજૂરનું સેવન કરવાથી આ દુખાવામાં ઘણી રાહત મળે છે. આ સિવાય લકવો અને છાતીમાં દુખાવાની ફરિયાદમાં પણ ખજૂર મદદ કરે છે.

કબજિયાતની સમસ્યા દૂર કરે છે
ખજૂરમાં પ્રોટીન, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે,જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા થોડી ખજૂરને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઓ. આનાથી તમને ફાયદો થશે.

રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત
એનિમિયાની સ્થિતિમાં ખજૂરને રાત્રે પલાળીને સવારે દૂધ કે ઘી સાથે ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય 3-4 ખજૂરને ગરમ પાણીમાં ધોઈને ગાયના દૂધ સાથે ઉકાળો અને ઉકાળેલું દૂધ સવાર-સાંજ લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.

ભૂખ વધારવામાં અસરકાર
જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ખજૂરનો પલ્પ કાઢીને દૂધમાં પકાવો જેથી ભૂખ વધે.  ત્યાર બાદ તેને ઠંડુ કરીને પીસી લો.  આ દૂધ પીવાથી ભૂખ વધે છે અને ભોજન પણ પચાય છે.

ચરબી મેળવવામાં ફાયદાકારક
એવું જોવા મળે છે કે લોકો તેમના પાતળા થવાને લઈને ચિંતિત છે. આ સ્થિતિમાં ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પાતળા છો અને થોડા જાડા બનવા માંગો છો તો ખજૂર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.