khissu

ડુંગળી ફરીથી તમને રાતે પાણીએ રડાવશે, પ્રતિબંધ છતાં 6 દેશોમાં 1 લાખ ટનની નિકાસ કરવાની પરવાનગી

Onion Export: ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા વર્ષે 8 ડિસેમ્બરથી ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. 

પરંતુ હવે સરકારે તેમાં થોડી છૂટછાટ આપતાં સરકારે ડુંગળીની નિકાસને છૂટ આપી છે. ભારત હવે 6 પાડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. અગાઉ, સરકારે મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી પણ આપી હતી.

ભારત ડુંગળીની નિકાસ કરશે

ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે છેલ્લા ઘણા મહિનાઓથી ડુંગળીની નિકાસ બંધ કરી દીધી હતી. દેશમાં ડુંગળીના વધતા ભાવથી જનતાને રાહત આપવા માટે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ધીમે ધીમે ખોલવામાં આવી રહી છે. ભારતે 6 પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

આ 6 દેશોમાં ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી

આ માહિતી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત બાંગ્લાદેશ, UAE, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસ કરશે. આ પાક મુખ્યત્વે મહારાષ્ટ્રનો છે. 

ગયા વર્ષે ઓછા ઉત્પાદનના અંદાજને કારણે, ભારતે સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. ગયા વર્ષે ઓછા ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવ સતત વધવા લાગ્યા હતા.

ડુંગળીનું ઉત્પાદન

કૃષિ મંત્રાલય દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં ડુંગળીનું ઉત્પાદન 254.73 લાખ ટન આસપાસ રહેવાની ધારણા છે. ગયા વર્ષે આ આંકડો 302.08 લાખ ટન હતો. 

ભારતમાં ડુંગળીની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે. સરકારે ડુંગળીના સંગ્રહમાં પણ સુધારો કર્યો છે. ડુંગળીની સંગ્રહ ક્ષમતા 1200 ટનથી વધારીને 5000 ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને આશા છે કે તેનાથી ડુંગળીનો બગાડ ઓછો થશે.