Top Stories
khissu

ડૉ. આંબેડકર આવાસ યોજના 2022: મકાન કરવા માટે મળશે 1,49,910 ની સહાય, જાણો અરજી કેમ કરવી?

મિત્રો, રોટી, કપડા અને મકાન આ જીવન  જરૂરી વસ્તુઓ છે. જે દરેક પાસે હોવું જોઈએ. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘરવિહોણા હોય છે. આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના વગેરે. આ યોજનાઓ દ્વારા ઘરવિહોણા નાગરિકોને આવાસ આપવામાં આવે છે.

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે.

યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

નિયમો અને શરતો
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૭,૯૧૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
અરજદારનું આધાર કાર્ડ
અરજદારનું રેશનકાર્ડ
અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
ચૂંટણી ઓળખપત્ર
મકાન બાંધકામ ચિઠ્ઠી
અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

અરજી કેવી રીતે કરવી: સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.
જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.
જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે