khissu

આ ખેડૂતોને સરકાર આપી રહી છે વર્ષે 36 હજારનું પેન્શન

એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ આવક ઘટી રહી છે. કોરોનાકાળમાં નોકરી અને વેપાર ધંધા પડી ભાગ્યા છે. આવી વિપરીત પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકો માટે મદદનો હાથ લંબાવી રહી છે. સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેનાથી લોકોને આર્થિક મદદ મળી રહેય આ દરમિયાન જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે સરકારે તેમા થોડો ફેરફાર કર્યો છે.

નોંધનિય છે કે, સરકાર આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન તરીકે આપી રહી છે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને આપવામાં આવશે, જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે હેઠળ વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં આવે છે.

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ તે તમામ ખેડૂતોને મળી રહ્યો છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે. તો બીજી તરફ, 11 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા મળી રહ્યા છે, કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે, માનધન યોજના માટે કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. તો બીજી તરફ, તેમાં જોડાવાથી તમે ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 મેળવી શકો છો.

- આવી શરતો લાગુ પડશે
પીએમ કિસાન માનધન યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજ આપવાના રહેશે નહીં.

નોંધનિય છે કે, કિસાન માનધન યોજના હેઠળ, 18-40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત તેમાં નોંધણી કરાવી શકે છે. જો કે, મહત્તમ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે.

તેઓએ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે સ્કીમ હેઠળ 55 થી 200 રૂપિયાનું માસિક રોકાણ કરવાનું રહેશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન 55 રૂપિયા પ્રતિ માસ થશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો દર મહિને 110 રૂપિયાનું યોગદાન આપવાના રહેશે.