khissu

આ 5 કારણથી દિવાળી ધનતેરસ આવતા સોનાનાં ભાવ વધશે! જાણો કેટલો ભાવ વધશે? અત્યારે શું ભાવ?

આવનાર દિવાળી અને ધનતેરસ તહેવાર પર સોનાના ભાવમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે તહેવારોની માંગ અને વૈશ્વિક કારણોસર સોનું 62,000 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે જઈ શકે છે. હાલમાં બુલિયન માર્કેટમાં સોનું 60,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

જ્યારે મે 2023 પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો, જે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રૂ.56,627 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મે મહિનાની ટોચથી અત્યાર સુધીમાં સોનું રૂ.5000 સસ્તું થયું હતું. પરંતુ તહેવારો દરમિયાન ફરી માંગમાં વધારો થયા બાદ ભાવ વધવાની ધારણા છે.

સોનાના ભાવ વધવાના કારણો?
1) પ્રથમ તો સોનાનો નવો પુરવઠો નથી, પરંતુ સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી ખરીદીને કારણે સપ્લાયમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

2) ભારતની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંક સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે.

3) એક તરફ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક તણાવ વધી રહ્યો છે.

4) આવતા મહિને અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવા પર રોક લગાવી શકે છે. જો આમ થશે તો ડોલર નબળો પડશે. જે બાદ સોનાના ભાવમાં વધારો થવાની આશંકા છે.

5) વૈશ્વિક તણાવની અસર અને પુરવઠો ઓછો છે, માંગ વધુ છે જેમણે કારણે દર વર્ષે દિવાળી ધન તેરસ દરમિયાન ખરીદી વધે છે જેમને કારણે ભાવ ઊંચા જવાની શક્યતા છે.