khissu

આ લોકોને ગમે ત્યારે ગમે તેટલી 2000 રૂપિયાની નોટ બદલવાની છૂટ, ખૂદ RBI એ આપી મોટી ઓફર

Rs 2000 Note: મે 2023 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવશે. આ પછી, આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે 30 સપ્ટેમ્બર 2023 સુધી લોકો બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકશે અથવા બેંક ખાતામાં જમા કરાવી શકશે. જોકે, તાજેતરમાં RBIએ 30મી સપ્ટેમ્બરની સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર કરી છે. આવી સ્થિતિમાં લોકો પાસે હવે છેલ્લી તક બચી છે અને તેઓ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવવા બેંક જઈ શકે છે. હવે લોકો માટે એક ખાસ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

2000 રૂપિયાની નોટ

2000 રૂપિયાની નોટની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવાની સાથે RBIએ કેટલાક નિયમો વિશે પણ માહિતી આપી છે. આ સાથે એવી માહિતી પણ આપવામાં આવી છે કે જો સરકારી વિભાગ પાસે 2000 રૂપિયાની નોટો છે તો તેઓ આ નોટો સમયમર્યાદા પછી ક્યારે અને કેવી રીતે બદલી શકશે.

2000 રૂપિયા

7મી ઓક્ટોબરની ડેડલાઈન બાદ બેંકો 2000 રૂપિયા લેવાનું બંધ કરી દેશે. આ પછી, RBI ઓફિસ દ્વારા 2000 રૂપિયા બદલી શકાય છે અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. આ સાથે આરબીઆઈ દ્વારા કેટલીક એજન્સીઓ અને સરકારી વિભાગોને પણ છૂટ આપવામાં આવી છે. આ છૂટ હેઠળ 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની કોઈ મર્યાદા નથી.

આરબીઆઈ

આરબીઆઈએ કહ્યું છે કે અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા તપાસની કાર્યવાહી અથવા અમલીકરણ સાથે સંકળાયેલી કોઈપણ અન્ય જાહેર સત્તા, જ્યારે પણ જરૂર પડે, આરબીઆઈની કોઈપણ ઓફિસમાં કોઈપણ મર્યાદા વિના રૂ. 2000ની બેંક નોટ જમા કરાવી શકે છે. તેને બદલી શકે છે અથવા મેળવી શકે છે. જ્યારે અન્ય લોકો અથવા સંસ્થાઓ એક સમયે 2000 રૂપિયાની 10 નોટ જમા અથવા બદલી શકે છે.