khissu

ગુજરાતમાં 1થી 5 ના વર્ગો ચાલુ કરવાને લઈને મોટી માહિતી, જાણો ક્યારથી શરૂ?

ગુજરાતમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવા અંગે ગુજરાતના નવાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મહત્વનું નિવેદન જણાવ્યું છે. 

શું કહ્યું શિક્ષણ મંત્રીએ? 
જીતુભાઈએ જણાવ્યું છે કે હાલમાં બેઠકો ચાલી રહી છે, મુખ્યમંત્રી પણ આ બાબતને લઈને જાગૃત અને સક્રિય રહે છે સાથે માર્ગદર્શન પણ આપતા રહે છે. અન્ય રાજ્યોની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અમે લોકો આરોગ્ય વિભાગ સાથે પણ સંપર્કમાં છીએ.

શાળા ક્યારે ખોલવામાં આવશે?
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે દરેક ટીમ સાથે અમે સંપર્કમાં છીએ આવનારા દિવસોમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવન અને આરોગ્યને પ્રાથમિકતા આપી અનુકૂળ સમયે શાળા ચાલુ કરવામાં આવશે.