khissu

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! હવે ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો

SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર આવ્યા છે.  ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે SBIએ એક નવી પહેલ કરી છે. આ નવા નિયમમાં ગ્રાહક OTPના આધારે જ ATMમાંથી રોકડ રકમ ઉપાડી શકશે. આ અંતર્ગત, રોકડ ઉપાડવા માટે, ગ્રાહકોને પહેલા તેમના મોબાઇલ ફોન પર એક OTP મળશે, જે દાખલ કર્યા પછી જ ATM માંથી રૂપિયા  ઉપાડી શકાશે.

બેંકે ટ્વીટ કરીને માહિતી આપી:  બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું હતું કે, બેંક ગ્રાહકોનું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે.  SBIના ગ્રાહકોએ OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની જાણ હોવી જોઈએ.

રૂ.10,000 અને તેથી વધુ રકમ ઉપાડવાના નિયમો: તમને જણાવી દઈએ કે આ નિયમો 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર લાગુ થશે. SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને તેમના ડેબિટ કાર્ડ પિન પર મોકલવામાં આવેલા OTP સાથે દર વખતે તેમના ATM માંથી રૂ. 10,000 અને તેથી વધુ ઉપાડવાની મંજૂરી આપશે.

જાણો સમગ્ર પ્રોસેસ
} SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે.
} આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
} આ OTP ચાર અંકનો નંબર હશે જે ગ્રાહકને એક જ ટ્રાન્ઝેક્શન માટે મળશે.
} એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.
} તમારે રોકડ ઉપાડ માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.

OTP ની જરૂર કેમ પડી?: ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.  દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 9.1 મિલિયન અને 20 મિલિયન છે.