khissu

ICICI બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે તગડી કમાણી

ભારતની ખાનગી ક્ષેત્રની ICICI બેંકે રૂ. 2 કરોડથી વધુ પરંતુ રૂ. 5 કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આની જાહેરાત કરતા બેંકે માહિતી આપી છે કે નવા દરો 13 મેથી લાગુ થશે. આ ફેરફાર બાદ બેંક હવે 7 થી 29 દિવસમાં પાકતી થાપણો પર 2.75 ના બદલે 3 ટકા વ્યાજ આપી રહી છે. અગાઉ, 30 થી 60 દિવસમાં પાકતી થાપણો પર વ્યાજ દર 3 ટકા હતો, પરંતુ હવે વ્યાજ દર 3.25 ટકા છે.

ICICI બેંક હવે 3.25 ટકાના બદલે 61 થી 90 દિવસમાં પાકતી થાપણો પર 3.40 ટકા વ્યાજ ચૂકવશે. તેવી જ રીતે, 91 થી 184 દિવસમાં પાકતી થાપણો પરનો વ્યાજ દર અગાઉ 3.5 ટકા હતો, જે બેન્કે વધીને 3.6 ટકા કર્યો છે. જોકે, 185 થી 270 દિવસમાં પાકતી થાપણો પર 3.75 ટકાના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી.

ICICI બેંક 271 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી થાપણો માટે 4 ટકાનો વ્યાજ દર જાળવી રાખશે. ઉપરાંત, 1 વર્ષથી ઓછા સમયથી 15 મહિનાથી ઓછા સમયગાળામાં પાકતી થાપણો પર વ્યાજ દર 4.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તે જ સમયે, 15 મહિનાથી 18 મહિનાથી ઓછી પાકતી થાપણો પર વ્યાજ દર 4.65 ટકા રહેશે. 18 મહિનાથી 2 વર્ષમાં પાકતી થાપણો પર વ્યાજ દર 4.7 ટકા રહેશે.

આ સમયગાળામાં કોઈ ફેરફાર નથી
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષમાં પાકતી થાપણો પર વ્યાજ દર 4.8 ટકા પર સ્થિર રહે છે. તે જ સમયે, 3 વર્ષથી 1 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 4.85 ટકા વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.