khissu

જો તમે પણ તાંબાના વાસણમાં પાણી પીતા હોય તો સાવધાન, ફાયદાની જગ્યાએ થશે નુકશાન

તાંબાના વાસણમાં પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ તાંબાના વાસણમાં પાણી પીવું કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. અહીં જાણો તાંબાના વાસણમાં પાણી પીવાની કેટલીક આડ અસર વિશે.

જો તમને પેટમાં અલ્સર હોય અથવા તમને વારંવાર એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તમારે આયુર્વેદ નિષ્ણાતની સલાહ વિના તાંબાના વાસણનું પાણી ન પીવું જોઈએ. તાંબુ ગરમ પ્રકૃતિનું છે. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

જો તમે કિડની કે હાર્ટ પેશન્ટ હોવ તો પણ આ પાણી પીતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. તાંબાના વાસણમાં વધારે પાણી પીવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો પણ ફક્ત પાણી માટે જ તાંબાના વાસણોનો ઉપયોગ કરો. તાંબાના વાસણમાં મૂકીને અન્ય ખાવા-પીવાની વસ્તુઓ ન ખાવી. આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

તાંબાના વાસણમાં દૂધ અથવા દૂધની બનાવટો અને ખાટી વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરો. તે ઝેરી હોઈ શકે છે અને તેના કારણે તમારે ફૂડ પોઈઝનિંગનો ભોગ બનવું પડી શકે છે.