khissu

લ્યો બોલો! આ વ્યક્તિને બાથરૂમમાંથી મળ્યો કરોડોનો ખજાનો, જોઈને આંખો પહોળી થઈ જશે

આપમે જોયુ છે કે ઘણી વખત લોકોને પરસેવો પાડ્યા વિના એટલું બધું મળી જાય છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી નથી હોતી. આ વાત એ કહેવત પરથી પણ સમજી શકાય છે કે ઉપરવાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આવું ત્યારે થાય છે જ્યારે કાં તો લોટરી નીકળી હોય અથવા તેને ક્યાંક પૈસા ભરેલી બેગ મળી હોય.

પ્લમ્બરનું નસીબ બદલાઈ ગયું
આવો જ એક અનોખો કિસ્સો અમેરિકાના ટેક્સાસમાં સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિ જ્યારે ટોઇલેટમાં હતો ત્યારે લગભગ 4 કરોડ રૂપિયા મળ્યા હતા. વાસ્તવમાં શૌચાલયમાં મોટી રકમ મેળવનાર વ્યક્તિ એક પ્લમ્બર છે જે ત્યાં દિવાલનું સમારકામ કરી રહ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે તેણે શૌચાલયની દિવાલ ખોદી, જેના પછી તે આશ્ચર્યચકિત થઈ ગયો. ખરેખર, લેકવુડ ચર્ચમાંથી વર્ષ 2014માં ચર્ચની તિજોરીમાંથી 6 લાખ ડોલરની ચોરી થઈ હતી. જસ્ટિન કોલ નામનો આ પ્લમ્બર જ્યારે ચર્ચમાં બાથરૂમની દીવાલ રિપેર કરી રહ્યો હતો ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું. કામ કરતી વખતે તેને લાગ્યું કે દિવાલની અંદર કંઈક છુપાયેલું છે.

પ્રામાણિકતાએ નસીબ ખોલી દીધુ
જ્યારે દિવાલનું પ્લાસ્ટર હટાવવામાં આવ્યું ત્યારે ત્યાં રોકડ અને ચેકના રૂપમાં ચાર કરોડ રૂપિયા મળી આવ્યા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ કેવી રીતે થઈ શકે? આ પછી તેણે નક્કી કર્યું કે તે તેમાંથી એક પણ પૈસો પોતાના ઘરે નહીં લઈ જાય.

ચર્ચે 15 લાખનું ઈનામ આપ્યું
એક અહેવાલ અનુસાર, તે પ્લમ્બરે પુરી ઈમાનદારી દર્શાવી હતી. તેણે આખી વાત ચર્ચ વહીવટીતંત્રને કહી જ્યાં તે સમારકામ કરવા આવ્યો હતો. તેણે આ તમામ રકમ ચર્ચ મેનેજમેન્ટને સોંપી દીધી. આ તમામ પૈસા બાથરૂમની દિવાલની અંદર દાટી દેવામાં આવ્યા હતા. હાલમાં ચર્ચ પ્રશાસને પ્લમ્બરની ઈમાનદારીથી ખુશ થઈને તેને ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. ચર્ચની દીવાલમાંથી મળેલા પૈસામાથી કેટલાક પૈસા જસ્ટિનને આપવામાં આવ્યા છે.

ચર્ચમાં થઈ હતી ચોરી
એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લગભગ સાત વર્ષ પહેલા ચર્ચની જ એક તિજોરીમાંથી પૈસાની ચોરી થઈ હતી, જોકે ઘણી શોધખોળ કરવા છતાં પણ આ પૈસા મળ્યા ન હતા. આ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દિવાલમાંથી લગભગ પાંચ કરોડ રૂપિયા મળી આવ્યા છે. જે બાદ ફરી દિવાલનું સમારકામ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ચર્ચે ક્રાઈમ સ્ટોપર્સ નામની તપાસ એજન્સીને લાખો રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ જ્યારે કંપનીને જસ્ટિનના ઉમદા કામની જાણ થઈ તો તેઓએ તે પૈસા જસ્ટિનને આપવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, ચર્ચે એમ પણ કહ્યું કે જસ્ટિનની ઈમાનદારીને જોઈને તે તેને ઈનામ તરીકે વધારાના પૈસા આપવા માંગે છે. મીડિયા સાથે વાત કરતા જસ્ટિને કહ્યું કે તેની પાસે ઘણા એવા બિલો  છે જેની ચૂકવણી કરવાની બાકી છે, તેથી આ રૂપિયા તેના માટે ખૂબ જ ઉપયોગી થશે.