khissu

મહત્વનો નિર્ણય: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ વીમા યોજનાનો કાર્યકાળ 180 દિવસ વધારવામાં આવ્યો.

જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે આરોગ્ય કર્મચારીઓએ વીમા યોજનાનો લાભ લીધો છે તેમને હવે વધુ લાભ મળશે.

સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) ની જાહેરાત કરી હતી જેથી કરીને દેશના લોકો કોવિડ દરમિયાન રોગોની સારવારથી વંચિત ન રહે. હાલમાં, કોવિડ મહામારી ની અસરને જોતા સરકારે તેની અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે.

નવી જાહેરાત અનુસાર, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 180 દિવસ માટે લંબાવી છે. આ યોજના હેઠળ સરકાર ગરીબો અને જરૂરિયાતમંદોને વીમા પોલીસી આપે છે. વીમા પોલિસીની વર્તમાન મુદત 20 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહી છે. જો કે, લોકોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયગાળો 180 દિવસ માટે વધાર્યો. હવે વધારાની 6 મહિનાની વીમા પોલિસી લઈ શકાય છે.  એક અહેવાલ મુજબ, સરકારે PMGKP હેઠળ અત્યાર સુધીમાં 1351 વીમા સંબંધિત દાવાઓનું સમાધાન કર્યું છે.

આ પેકેજ 30 માર્ચ, 2020 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ યોજના આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવી હતી જેઓ કોવિડ સામે લડી રહ્યા હતા અને મોરચે તૈનાત હતા.

આ યોજના હેઠળ, આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. એટલે કે, જો કોઈ હેલ્થ વર્કર કોવિડ સામે લડતી વખતે અને ડ્યુટી દરમિયાન પોતાનો જીવ ગુમાવે છે, તો તેના નોમિનીને 50 લાખ રૂપિયા મળશે. અગાઉ આ યોજના (PM ગરીબ કલ્યાણ યોજના) ની અવધિ 24 માર્ચ 2021 હતી, ત્યારબાદ બીજા તબક્કામાં તેને 20 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવી હતી અને હવે તેની અવધિ આગામી 6 મહિના માટે લંબાવવામાં આવી છે.

શું છે આ યોજના: વાસ્તવમાં, વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ 30 માર્ચ 2020 થી લાગુ કરવામાં આવ્યું હતું.  આ યોજના રોગચાળા સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી.  આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે.