khissu

આ વખતે દરિયો થીજી જશે, જાણો અલનીનો અસરના કારણે શિયાળો ક્યારે અને હાલ વરસાદ ક્યાં પડશે ?

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે.

અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. જેને કારણે તોતિંગ ખર્ચો કરીને નવરાત્રિનું આયોજન કરતા આયોજકો પણ આ વખતે ચિંતામાં છે. જોકે, આના કરતા પણ મોટી આગાહી અંબાલાલ પટેલે શિયાળા અંગે કરી છે

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, વરસાદની ચિંતા છોડો આવખતે હાડ થીજી જાય એવી ઠંડી પડશે. અલ નીનોની અસરથી ઠીજી જશે દરિયો! મોત લાવશે ઠંડી, અંબાલાલની સૌથી ઘાતક આગાહી.

અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે.

જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે

દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આગામી સપ્તાહમાં છુટા છવાયા ઝાપટા સિવાય વરસાદની સંભાવના નથી.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.  

બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જેમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.  

ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે.

વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે આગાહી કરી કે, વરસાદ તો આવશે જ, સાથે વાવાઝોડું પણ આવશે.

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી.

હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે.

આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.