khissu

જો ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય અને તે વ્યક્તિ પરત કરવાની ના પાડે તો?

ભારતમાં હાલમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે. ખાસ કરીને નોટબંધી પછી ઘણા લોકો આર્થિક વ્યવહારો ડિજિટલી રીતે કરતા થયા છે. નોંધનિય છે કે, આજે દરેક વ્યક્તિ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઈ-કોમર્સ સુવિધાઓ જેમ કે ઓનલાઈન શોપિંગ અથવા કોઈને ઓનલાઈન પૈસા મોકલે છે. જો કે તેના ઘણા ફાયદા પણ છે, કારણે કે આમ કરવાથી તેમનો સમય બચે છે અને સાથે જ તેમને બિનજરૂરી રીતે રોકડ હાથમાં રાખવાની જરૂર નથી રહેતી.

પરંતુ તેનુ બીજુ પાસુ એ પણ છે કે, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી વખત લોકો ઉતાવળમાં ભૂલ કરી નાખે છે અને બીજાના બેંક ખાતામાં પૈસા મોકલી દે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે તમે થોડી બાબતોનું ધ્યાન રાખીને તમારા પૈસા પાછા મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે જ્યારે પણ આવુ થાય ત્યારે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે આ ભૂલને ઠીક કરીને તમારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકો છો.

ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા પછી સૌ પ્રથમ કરો આ કામ
જો તમારાથી પૈસા કોઈ બીજાના ખાતામાં ભૂલથી ચાલ્યા જાય તો તમારે તરત જ તમારી બેંકના બ્રાન્ચ મેનેજર સાથે વાત કરવી જોઈએ. આ ઉપરાંત તમારે પુરાવા આપવા પડશે કે તમે ભૂલથી બીજાના ખાતામાં પૈસા મોકલી દીધા છે, જેથી તેના પર ઝડપથી કાર્યવાહી થઈ શકે.

આ ઉપરાંત, જો તમે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર ક્યા છે જેમાં જ તમારું પણ ખાતું છે, તો બેંક ફક્ત મધ્યસ્થી તરીકે કામ કરે છે અને પૈસા પરત કરવા માટે તે વ્યક્તિને એક મેઇલ મોકલવામાં આવે છે. જો તે વ્યક્તિ તેની પરવાનગી આપે  તો તમને આગામી 7 દિવસમાં તમારા પૈસા પાછા મળી જશે. આ ઉપરાંત, જો તમારા પૈસા કોઈ અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હોય તો તમારે તે બેંકના અધિકારીઓને મળવું પડશે અને તમારી સમસ્યા જણાવવી પડશે.

જો સામે વાળી વ્યક્તિ પૈસા પરત કરવાની ના પાડે તો?
નોંધનિય છે કે, ઘણી વખત લોકો તેમના ખાતામાં આવતા પૈસા પરત કરવાની ના પાડી દે છે. આવી સ્થિતિમાં, જો તમારી સાથે પણ આવું થાય તો તમે તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકો છો, અને પછી આ સમગ્ર મામલાને કાયદાકીય રીતે જોવો પડશે. જો તે વ્યક્તિ વાતચીત દ્વારા તમારા પૈસા પરત કરવા માટે સંમત થઈ જાય છે, તો હવે તેણે આઈડી અને એડ્રેસ પ્રૂફ જેવા દસ્તાવેજો તેની બેંકમાં જમા કરાવવા પડશે, જેના પછી તમે તમારા પૈસા મેળવી શકો છો.