khissu

આવતી કાલથી આ લોકોનાં ખાતામાં જમા થશે પૈસા: જાણો કઈ યોજના? કેટલાં?

આવતી કાલે 25 ડીસેમ્બર 2020 અને અટલ બિહારી વાજપાઇનો જન્મદિવસ.

અટલ બિહારી વાજપાઇ ના જન્મદિવસ નિમિત્તે ખેડૂતોના ખાતામાં ૨,૦૦૦ રૂપિયા હપ્તો પી.એમ.કિસાન યોજના અંતર્ગત ટ્રાન્સફર કરવામાં આવશે એવી જાહેરાત ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ અગાઉ કરી હતી. જાહેરાત મુજબ ભારતના નવ કરોડ ખેડૂતોના ખાતામાંં ૧૮,૦૦૦, કરોડ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. 

કેવી રીતે જાણી શકો કે તમને મળશે લાભ? 

પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઇટ (  https://pmkisan.gov.in/ ) પર તમે આધાર કાર્ડ, મોબાઈલ નંબર કે બેંકની  બેંક નંબર નાખી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.

1) જો સ્ટેટસમાં RFT Sign By સ્ટેટ ગવર્મેન્ટ એવું લખેલું આવે છે તો તમને આગામી દિવસોમાં પૈસા મળી જશે. 

2) જો સ્ટેટસમાં FTO Generate લખેલું આવે છે તો તમને ગણતરીના દિવસોમાં પૈસા મળી જશે.

3) જો સ્ટેટસમાં વેઈટિંગ ફોર એપ્રુવલ સ્ટેટ ગવર્મેન્ટ ( waiting for approval state Government) એવું લખેલું આવે છે તો હજી થોડા દિવસો તમારે રાહ જોવી પડશે. 

શું તમને pm કિશાન યોજના અંતર્ગત 2000ની સહાય નથી મળતી? 

જો પૈસા ન મળે તો ક્યાં ફરિયાદ નોંધાવવી. 

1) પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર: 18001155266, 

2) પીએમ કિસાન યોજના હેલ્પલાઈન નંબર: 155261, 

3) પીએમ કિસાન યોજના લેન્ડલાઈન નંબર: 011-23381092,  23382401, 

4) પીએમ કિસાન યોજનાના નવાં જાહેર થયેલ હેલ્પલાઈન નંબર: 011-24300606, 

5) પીએમ કિસાન યોજનાના વધુ એક જાહેર હેલ્પલાઈન નંબર: 01206025109, 

6) Pm કિશાન યોજનાનું Official ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

જો તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા નથી થતાં તો ઉપર આપેલ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. 

આવી વધારે માહિતી માટે www.Khissu.Com વેબસાઇટ વિઝીટ કરો અને Khissu ની એપ્લિકેશનને ડાઉનલોડ કરો.

આ માહિતી ને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને દરેક ખેડૂતો જાણી શકે. - આભાર