khissu

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ૧લી ઓક્ટોબરથી આ બેંકની ચેકબુક કામ નહીં કરે, જાણી લો નહીંતર કામ અટવાઈ જશે

જો તમે પણ આ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. દેશની 3 જાહેર ક્ષેત્રની બેંકોની ચેકબુક નકામી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમારું ખાતું પણ આ બેંકોમાં છે, તો ચેકબુક સમયસર બદલી નાંખો. જો તમે પણ પંજાબ નેશનલ બેંક (Punjab National Bank India- PNB) ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. પંજાબ નેશનલ બેંક 1લી ઓક્ટોબરથી જૂની ચેક બુક બંધ કરવા જઈ રહી છે.

આ બેન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ થઈ છે. 1 ઓક્ટોબર, 2021 થી બેન્કોના મર્જરને કારણે ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક ફગાવી દેશે.

જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ થશે.
PNB એ ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી OBC (Oriental Bank Of Commerce) અને UNI (United Bank of India) ની જૂની ચેકબુક કામ કરશે નહીં. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેન્કોની જૂની ચેકબુક છે, તેમણે વહેલી તકે નવી ચેકબુક મેળવી લેવી જોઇએ, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક PNB ના અપડેટેડ IFSC કોડ અને MICR સાથે આવશે.

બેંકોએ ટ્વિટ કરીને માહિતી આપી...
નોંધનીય છે કે ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે આ ત્રણ બેન્કોના MICR કોડ અને ચેકબુક માત્ર 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય છે. આવી સ્થિતિમાં, કોઈપણ વિક્ષેપ વગર બેંકિંગ વ્યવહારો ચાલુ રાખવા માટે, ગ્રાહકે 1 ઓક્ટોબર 2021 પહેલા નવી ચેકબુક લઈ લેવી જોઈએ. 1 ઓક્ટોબર 2021 થી જૂનો MICR કોડ અને ચેકબુક અમાન્ય થઈ જશે.

નવી ચેક બુક માટે તરત જ આ કામ કરો.
ગ્રાહક નજીકની શાખામાંથી નવી ચેકબુક લઈ શકે છે. આ સિવાય ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ (ઈન્ટરનેટ બેંકિંગ / ઓનલાઈન બેંકિંગ) અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા પણ અરજી કરી શકે છે. પીએનબી ગ્રાહકો એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા પીએનબી વન દ્વારા અરજી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આ બેન્કોના ખાતાધારકોએ ઓનલાઈન બેંકિંગ ટ્રાન્ઝેક્શનની સુવિધાનો ઉપયોગ કરવા માટે મર્જર પછીના બેંકના નિયમો અનુસાર તેમના જૂના આઈએફએસસી કોડ બદલવાની જરૂર રહેશે. એટલે કે, જો તમે આ બેન્કોના ગ્રાહક છો, તો તરત જ તમામ માહિતી અપડેટ્સ કરો.]

વધુ માહિતી મેળવવા માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો.
જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન હોય તો નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.