khissu

રાશન વિતરણના નિયમોમાં મોટો ફેરફાર, લાભાર્થીઓએ લગાવવો પડશે બે વાર અંગુઠો

જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ રાશનના નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે લાભાર્થીઓએ રાશન મેળવવા માટે એક વાર નહીં પરંતુ બે વાર અંગૂઠો લગાવવો પડશે. આ ફેરફાર મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી આ જબરદસ્ત સુવિધા, હવે ઘરે બેઠા કરી શકશો કોઇપણ નાણાંકીય વ્યવહાર

ઑક્ટોબર મહિનાથી સિસ્ટમ બદલાઈ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા દરેક વ્યક્તિને 5-5 કિલો અનાજ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં લાભાર્થીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નામે બે વાર અંગૂઠો લગાવવો પડશે. હાલમાં, જાહેર વિતરણ પ્રણાલી કેન્દ્ર પર અંગૂઠો લગાવ્યા પછી લાભાર્થીને રાશન મળે છે. પરંતુ ઓક્ટોબર મહિનાથી આ સિસ્ટમ બદલાશે.

અંગૂઠો બે વાર લગાડવો પડશે
હવે લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા રાશન માટે અલગ-અલગ બે વાર અંગૂઠો લગાવવો પડશે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ નિયમ રાજ્યના દરેક જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. આ જોગવાઈ બાદ દુકાન સંચાલકને રાશન વિતરણમાં પહેલા કરતા વધુ સમય લાગશે. ઉપરાંત, લાભાર્થીને રાશન મેળવવામાં પણ પહેલા કરતા વધુ સમય લાગશે.

આ પણ વાંચો: SBIની આ ખાસ ઓફરમાં વરિષ્ઠ નાગરિકોને FD પર મળશે મહત્તમ 7.65% વ્યાજ

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને 5 કિલો અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને 5 કિલો રાશન પણ આપવામાં આવે છે. બંને રાશન કંટ્રોલ શોપમાંથી વહેંચવામાં આવે છે. અત્યાર સુધી, લાભાર્થીઓને અંગૂઠો લગાવ્યા પછી રાશન મળતું હતું. પરંતુ હવે બંને રાશન મેળવવા માટે અંગૂઠો બે વાર લગાડવો પડશે.