khissu

પીએમ કિશાન યોજનામાં 2000 રૂપિયા પાછાં લેવામાં આવશે? જાણો કોના?


નમસ્કાર ખેડૂત મિત્રો...


પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kishan Yojna 2021) હેઠળ ૨૦ લાખ ખેડૂતો પર RTI કરવામાં આવી છે, જેમાં સરકાર હવે અયોગ્ય ખેડૂતો પાસેથી ૧૩૬૪ કરોડ રૂપિયા પાછા લેશે.. જે RTI માહિતી મુજબ સૌથી વધુ ખોટા લોકોના ખાતામાં pm kishan યોજના અંતર્ગત પૈસા જમા થયા છે તેમાં ગુજરાત, પંજાબ, આસામ,ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય ટોપ ઉપર છે.


કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ જે ખેડૂત લાભાર્થઓને મળવો જોઈએ તેના બદલે બીજા અયોગ્ય લોકોને મોદી સરકારે લાભ આપી દીધો હોવાનું સામે આવ્યું છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯ માં શરૂ કરી હતી. અને આ યોજના અંતર્ગત સીમાંત અથવા નાના ખેડૂતો ને અથવા જેમની પાસે બે હેકટર થી ઓછી જમીન છે તેઓને વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે.


આ યોજના હેઠળ ૨૦.૮૪ લાખ અયોગ્ય લાભાર્થીઓને ૧૩૬૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે RTI હેઠળ માંગેલી માહિતીના જવાબમાં માહિતી આપી છે.


જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે અયોગ્ય લાભાર્થી ઓમાં બે કેટેગરી ની ઓળખ થઈ છે. 


1) પ્રથમ કેટેગરીમાં ૫૫.૫૮% અયોગ્ય લાભાર્થી ઓમા ઇન્કટેક્સ ભરનાર પ્રથમ કેટેગરી માં આવે છે.


2) દ્વિતીય કેટેગરી માં ૪૪.૪૧% છે જે આ યોજના નો લાભ લેવાની યોગ્યતા ધરાવતા નથી.


સૂત્રોના જણાવ્યા અનુસાર જે અયોગ્ય લાભાર્થી ને લાભ આપી દિધો છે તેની પાસેથી આ રકમ ની વસૂલાત કરવામાં આવશે.


જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.


શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ. 


પી.એમ. કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:


પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261


કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.


પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092


pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in 



સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે. 


૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.


૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 


૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.


૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.


૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.


૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે


આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.


તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ? : મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 


 ૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી. 

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે. 

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી. 

૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા. 

૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.


 આ યોજના સંબંધિત બીજા તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો. 


- આભાર