Top Stories
khissu

નવો ધંધો શરૂ કરવા માટે પૈસા નથી તો No Tension, સરકાર કરશે તમારી મદદ

વર્તમાન સમયમાં ઘણા લોકો બિઝનેસ શરૂ કરવા માગે છે પરંતુ પૈસાના અભાવે શરૂ કરી શકતા નથી. હવે જો તમે પણ તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તેના માટે પૈસાની મોટી અડચણ છે તો હવે તમારે ફીકર કરવાની જરૂર નથી. આ સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે જેથી નવો ધંધો શરૂ કરનારાઓને લોન મળી રહે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) હેઠળ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પોસાય તેવા દરે લોન આપવામાં આવે છે.

મોદી સરકારે એપ્રિલ 2015માં મુદ્રા યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય નાના વેપારીઓને બિઝનેસ માટે સરળ લોન આપવાનો હતો. જો તમે પણ તમારા બિઝનેસ માટે મુદ્રા લોન લેવા માંગો છો તો તમે તેના માટે અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રીત 
1- મુદ્રા લોન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
2- લોન અરજી ફોર્મમાં સાચી વિગતો ભરો.
3- મુદ્રા લોન આપતી કોઈપણ જાહેર અથવા ખાનગી બેંકમાં જાઓ.
4- બેંકની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરો. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને લોન મળશે.

મુદ્રા લોનના ફાયદા
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ સરકાર ગેરંટી વગર લોન આપે છે. એટલે કે લોન લેવા માટે લાભાર્થી પાસેથી પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહીં. આ હેઠળ લીધેલી લોન પર અલગ-અલગ વ્યાજ દર લેવામાં આવે છે અને તે તમારા કામની પદ્ધતિ પર પણ નિર્ભર કરે છે. જો કે, લઘુત્તમ વ્યાજ દર લગભગ 12% છે.

જાણો કેટલુ થશે વ્યાજ
વ્યાજ દરો પણ લોનની રકમ અને ચુકવણીની અવધિ વગેરે પર આધાર રાખે છે. બેંક અનુસાર વ્યાજ દર 12-18 ટકાની વચ્ચે હોઈ શકે છે. જો કે, મોટે ભાગે 10 થી 12 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.

આ દસ્તાવેજો હોવા જોઈએ
મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે હશે. આ સિવાય  એડ્રેસ પ્રૂફ માટે યુટિલિટીના બિલો, આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, વોટર આઈડી વગેરે ચાલશે.

ઓનલાઇન અરજી કરો
હવે તમે જે નાણાકીય સંસ્થામાંથી મુદ્રા લોન લેવા માંગો છો તેની વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકો છો. તમારે ફક્ત તે બટન પર ક્લિક કરવાનું છે જેમાં મુદ્રા લોન ઓનલાઈન અપ્લાઈ લખેલુ હોય. તમે તમારી નજીકની બેંકની મુલાકાત લઈને પણ આ યોજના હેઠળની લોન વિશે જાણી શકો છો.