khissu

પોસ્ટ ઓફિસની આ યોજનામાં કરો રોકાણ, વગર જોખમે મળશે 16 લાખ રૂપિયા

બધા લોકો તેમના પૈસાને લઈને રિસ્ક લેવા માગતા હોતા નથી તેથી તેઓ તેમના પૈસાને એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે જ્યા તે સુરક્ષિત રહે અને વ્યાજ પણ મળતુ રહે. હાલમાં ઇક્વિટી માર્કેટમાં જોખમ ઊંચું હોવાથી વળતર પણ અન્ય રોકાણ ઉત્પાદનો કરતાં વધારે છે પરંતુ દરેક વ્યક્તિમાં જોખમ લેવાની ક્ષમતા હોતી નથી. તેથી લોકો એવું રોકાણ કરવા ઈચ્છે છે જ્યાં નફો મળતો રહે અને જોખમ નહિવત રહે. તો તમને જણાવી દઈએ કે આવા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ બેસ્ટ ઓપ્શન છે.

નોંધનિય છે કે, જો તમે જોખમ લેવા માંગતા નથી તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ રોકાણ કરી શકો છે. આજે અમે તમને એક એવા રોકાણ વિશે જણાવીએ જેમાં જોખમ નહિવત રહે છે અને વળતર પણ સારું મળે છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ તેમાંથી એક સારી યોજના છે.

પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું
પોસ્ટ ઓફિસ RD ડિપોઝિટ એકાઉન્ટ એ સારા વ્યાજ દર સાથે નાના હપ્તાઓ જમા કરાવવા માટે સરકારની ગેરેન્ટી યોજના છે, જેમા તમે માત્ર 100 રૂપિયાની નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો. તો બીજી તરફ રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી, તમે તેમાં ગમે તેટલા પૈસા મૂકી શકો છો.

નોંધનિય છે કે, આ યોજના માટે ખાતું પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. જો કે, બેંકો 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે પણ રિકરિંગ ડિપોઝિટ ખાતાની સુવિધા આપે છે. તેમાં જમા કરવામાં આવેલા નાણાં પર દર ક્વાર્ટરમાં (વાર્ષિક દરે) વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને તે તમામ ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં (ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત) પૈસા ઉમેરવામાં આવે છે.

જાણો તમને કેટલું વ્યાજ મળશે
નોંધનિય છે કે, રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 5.8% વ્યાજ મળી રહ્યું છે, આ નવો દર 1લી એપ્રિલ 2020થી લાગુ છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં તેની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરે છે.

દર મહિને 10 હજાર મુકશો તો તમને 16 લાખ મળશે
તમને જણાવી દઈએ કે, જો તમે 10 વર્ષ માટે પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી તમને 5.8%ના દરે 16 લાખ રૂપિયાથી વધુ મળશે.

દર મહિને રોકાણ= 10,000 રૂપિયા
વ્યાજ= 5.8%
મેચ્યોરિટી=10 વર્ષ
10 વર્ષ પછી પાકતી મુદતની રકમ = રૂ. 16,28,963

RD એકાઉન્ટ વિશે જાણવા જેવી બાબતો
તમારે ખાતામાં નિયમિત રીતે પૈસા જમા કરાવવાના રહેશે, જો તમે પૈસા જમા નહીં કરાવો તો તમારે દર મહિને એક ટકાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત જો તમે 4 હપ્તા ચૂકી જાવ છો તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.

TDS છૂટનો દાવો કરી શકાય છે
આ ઉપરાંત રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ પર TDS કાપવામાં આવે છે, જો થાપણ રૂ. 40,000 કરતાં વધી જાય તો વાર્ષિક 10%ના દરે ટેક્સ વસૂલવામાં આવે છે. RD પર મળતું વ્યાજ કરપાત્ર છે, પરંતુ પરિપક્વતાની સંપૂર્ણ રકમ પર કર લાગતો નથી. જે રોકાણકારો કોઈ કરપાત્ર આવક ધરાવતા નથી તેઓ ફોર્મ 15G ફાઇલ કરીને TDS છૂટનો દાવો કરી શકે છે, જેમ કે FD ના કિસ્સામાં થાય છે. તમને જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસ ઉપરાંત સરકારી અને ખાનગી બેંકો પણ રિકરિંગ ડિપોઝીટની સુવિધા આપે  છે.