khissu

સગી માતાએ પોતાની બે દીકરીઓને કેનાલમાં ફેંકી દીધી, જાણો શું છે કારણ

દિવસે ને દિવસે આશ્વર્ય પમાડે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય ઘર સંસાર માં ઝઘડાઓ તો થતા જ હોય છે અને આવા ઝઘડાઓ માં પતિ પત્ની આત્મહત્યા પણ કરી લે છે. ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં પતિ પત્ની આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર જોવા મળ્યા છે. પરંતુ આવા ઝઘડાઓ ને લઈને પોતાના બાળકોને મારી નાખવા એ આશ્વર્ય પમાડે તેવી ઘટના છે.


જી હા મિત્રો , ગાંધીનગર જિલ્લાના દહેગામમાં માતા એ તેની બે માસુમ બાળકીઓને કેનાલમાં ફેંકી મારી નાખી. આ પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા ખૂબ પૂછતાછ કરવામાં આવી. 


ગાંધીનગર જિલ્લાના દહેગામ માં બનેલી આ ઘટના માં કડદરા પાસે આવેલી કેનાલમાં સગી માતાએ તેની બે દિકરીઓને ફેંકી દીધી. આ સમગ્ર ઘટનાની જાણ માટે પોલીસે ખુબજ પૂછતાછ કરતા માતા એ કબૂલ કર્યું હતું અને આખરે રડવા લાગી.


કડદરા પાસે ની કેનાલમાં  શોધખોળ કરતાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજી બાળકીની શોધખોળ ચાલુ છે.