Top Stories
khissu

આ બિઝનેસ દ્વારા મોદી સરકાર આપી રહી છે શાનદાર કમાણીનો મોકો, તમે પણ ઉઠાવો લાભ

જો તમે બિઝનેસ શોધી રહ્યા છો, તો તમે મેડિકલ ક્ષેત્રે તમારું ભવિષ્ય બનાવી શકો છો જેમાં કેન્દ્ર સરકાર તમને સારી કમાણી કરવાનો મોકો આપી રહી છે. કોવિડ-19ના લીધે મેડિકલ ક્ષેત્રે ધમધમાટ ચાલી રહ્યો છે. લોકોને સરળતાથી દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર નામની સુવિધા શરૂ કરેલી છે. આ ઔષધિ કેન્દ્ર તમે પણ ખોલી શકો છો આ માટે સરકાર મદદ કરી રહી છે અને તમે આ બિઝનેસ દ્વારા સારી કમાણી પણ કરી શકો છો.

સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારવા પર ભાર આપી રહી છે. સરકારે માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 10,000 કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દવાઓની કિંમતનો બોજ ઘટાડવા માટે સામાન્ય લોકો માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.

જનઔષધિ કેન્દ્ર કોણ ખોલી શકે છે?
સરકારે જનઔષધિ કેન્દ્રો ખોલવા માટે ત્રણ શ્રેણીઓ બનાવી છે. પ્રથમ શ્રેણીમાં, કોઈપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડૉક્ટર અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. તે જ સમયે, ટ્રસ્ટ, એનજીઓ, ખાનગી હોસ્પિટલો વગેરે બીજી શ્રેણીમાં આવે છે. ત્રીજી શ્રેણીમાં રાજ્ય સરકારો દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓને તક મળે છે. એટલે કે, જો તમારે જનઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો તમારી પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માની ડિગ્રી હોવી જોઈએ. અરજી કરતી વખતે, પુરાવા તરીકે ડિગ્રી સબમિટ કરવી જરૂરી છે. PM-JAY હેઠળ, દવા કેન્દ્રો ખોલવા માટે SC, ST અને વિકલાંગ અરજદારોને રૂ. 50,000 સુધીની દવાની એડવાન્સ રકમ આપવામાં આવે છે. આ દવાની દુકાન પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રના નામે ખોલવામાં આવે છે.

અરજી કરવાની રીત
જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે, સૌ પ્રથમ, જન ઔષધિ કેન્દ્રના નામે 'રિટેલ ડ્રગ સેલ્સ'નું લાઇસન્સ મેળવવું પડશે. આ માટે તમે સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે તમારી માહિતી એપ્લીકેશન બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર (A&F)ને મોકલવાની રહેશે.

કમાણી 
જન ઔષધિ કેન્દ્રમાં દવાઓના વેચાણ પર 20 ટકા સુધીનું કમિશન મળે છે. આ કમિશન સિવાય, દર મહિને કરવામાં આવતા વેચાણ પર 15 ટકા સુધીનું અલગ પ્રોત્સાહન આપવામાં આવે છે. જે તમારી આવક હશે. આ યોજના હેઠળ, સરકાર દ્વારા દુકાન ખોલવા માટે ફર્નિચર અને અન્ય વસ્તુઓ માટે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. સરકાર 50,000 રૂપિયા સુધીના બિલિંગ માટે કમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવામાં પણ મદદ કરે છે.