khissu

IPL માંથી ધોની વિદાય લઈ લેશે? : જાણો શું કહ્યું કેપ્ટન MSD એ

વર્ષ 2020 ની IPL માં CSK નું પરફોર્મન્સ થોડું નબળું રહ્યું ત્યારબાદ બાદ લોકો ને લાગતું હતું કે MSD ipl માંથી વિદાય લઈ લેશે પરંતુ વિદાય ને લઈને ધોની એ CSK vs KXIP ની મેચ ના ટોર્ચ વખતે એનો જવાબ આપ્યો હતો. 

જેમાં નિવૃત્તિ ને લઈને ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPL માં પોતાની નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું, જેમાં કોમેન્ટેટરે એ ધોનીને પૂછયું કે, શું યલો જર્સીમાં તમારી આ છેલ્લી મેચ છે? સવાલનો જવાબ આપતા માહીએ કહ્યું કે, બિલકુલ નહીં. 

જોકે, સીઝનમાં મેચ પુરી થયાં બાદ ધોની ઘણા ખેલાડીઓને ઓટોગ્રાફ આપતો દેખાયો હતો,જેથી સોશિયલા મીડિયા પર ધોનીની આ છેલ્લી IPL છે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને ધોની વિદાય લઈ લેશે એવું લોકો ને લાગતું હતું પરંતુ ધોની હજી વિદાય નહીં લે.