khissu

ભારત-પાકિસ્તાન મેચના ચાહકો માટે ખુશીના સમાચાર, BCCIએ ટિકિટમાં 14,000નો વધારો કર્યો, આ રીતે કરો બૂક

World Cup 2023:  વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, આજે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આજની મેચથી વર્લ્ડ કપમાં પદાર્પણ કરવા જઈ રહી છે. આ પછી ભારતની આગામી મેચ 14 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે થશે. ભારત-પાકિસ્તાન મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગભગ 11 વર્ષ પછી શનિવારે 14 ઓક્ટોબરે ODI મેચ યોજાશે. બંને ટીમોની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

ક્રિકેટ ચાહકોએ આ મેચ માટે ઘણા સમય પહેલાથી ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દીધું છે. દરેક વ્યક્તિ સ્ટેડિયમમાં જઈને આ મેચ જોવા માંગે છે. આવી સ્થિતિમાં BCCIએ ભારત-પાકિસ્તાન મેચના ચાહકો માટે ખુશખબર આપી છે. ચાલો જાણીએ BCCI એ ક્રિકેટ ચાહકોને કઈ ખાસ ભેટ આપી છે.

બીસીસીઆઈએ વધારાની ટિકિટો જાહેર કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે દરેક વ્યક્તિને ટિકિટ જોઈએ છે. આ મેચની ટિકિટનો પ્રથમ લોટ ઓગસ્ટના અંતમાં બહાર પાડવામાં આવ્યો હતો, જે થોડીવારમાં વેચાઈ ગયો હતો. જે બાદ હવે BCCI ક્રિકેટ ચાહકો માટે 14 હજાર વધુ ટિકિટ જાહેર કરશે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું- BCCIએ 14 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચ માટે 14,000 ટિકિટ જાહેર કરવાની જાહેરાત કરી છે.

ટિકિટ ક્યારે મળશે અને કેવી રીતે બુક થશે?

બીસીસીઆઈના નિવેદન બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ક્યારે અને ક્યાં મળશે? તો ચાલો તમને જણાવી દઈએ કે, 8મી ઓક્ટોબરે એટલે કે આજે બપોરે 12 વાગ્યાથી ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ખરીદી શકે છે. તે વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર વેચવામાં આવી રહી છે.

સ્ટેડિયમમાં 1.3 લાખથી વધુની બેઠક ક્ષમતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ છે. તેની બેઠક ક્ષમતા લગભગ 1 લાખ 32 હજાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમ ભરાઈ જશે તેવી દરેકને આશા છે.