Top Stories

1લી મે 2025 થી બેંક, ગેસ અને રેલ્વે સહિત બદલાઇ જશે આ મોટા નિયમો/ ફેરફાર

આગામી મહિને 1લી મે 2025થી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા સેવાઓ પર પડશે. તેમાં બેંક ખાતા, ATM વ્યવહારો સહિત ઘણા નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો પછી સામાન્ય લોકોએ તેમના વ્યવહારો અને સેવાઓ અંગે કેટલીક નવી વ્યવસ્થાઓનું પાલન કરવું પડશે.

પૈસા ઉપાડવા મોંઘા થશે
રિઝર્વ બેંકના નવા નિયમો હેઠળ, 1લી મેથી જો ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધી જાય તો તમારે ATM માંથી રોકડ ઉપાડવા, જમા કરાવવા અથવા બેલેન્સ ચેક કરવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.
રોકડ ઉપાડ પરનો ફી હવે પ્રતિ વ્યવહાર રૂપિયા 17 થી વધીને રૂપિયા 19 થશે.
બેલેન્સ ચેક પરનો ફી પ્રતિ વ્યવહાર રૂપિયા 6 થી વધારીને રૂપિયા 7 કરવામાં આવ્યો છે.

રેલવે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર

રેલ્વે 1લી મેથી ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોએ નવી સિસ્ટમ મુજબ તૈયારી કરવી પડશે.
સ્લીપર અને એસી કોચમાં હવે વેઇટિંગ ટિકિટ માન્ય રહેશે નહીં; વેઇટિંગ ટિકિટ પર મુસાફરી ફક્ત જનરલ કોચમાં જ શક્ય બનશે.
એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.
રેલ્વે ત્રણ મુખ્ય ચાર્જ પણ વધારી શકે છે, જેના કારણે ભાડા અને રિફંડ પ્રક્રિયા મોંઘી થઈ શકે છે.
11 રાજ્યોમાં RRBsનું વિલીનીકરણ કરવામાં આવશે

દેશના 11 રાજ્યોમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs)ના વિલીનીકરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એક રાજ્ય, એક RRB નીતિ આ રાજ્યોમાં 1 મે, 2025 થી લાગુ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય બેંકોની કાર્યકારી કાર્યક્ષમતા વધારવાનો અને ખર્ચ ઘટાડવાનો છે.
જે રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવશે તે છે: આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન.