khissu

હવે UPI Transaction ફેલ થવા પર બેંકોએ ગ્રાહકોને ચુકવવો પડશે ચાર્જ: જાણો શું છે નિયમ?

નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલના દિવસે દેશની તમામ સરકારી અને ખાનગી બેન્કો બંધ હતી. બેંક બંધ હોવાનાં કારણે લેવડ-દેવડ માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધ્યું હતું. આ સમય દરમિયાન ગ્રાહકોને NEFT, IMPS અને UPI દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત ગ્રાહકોનું યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયા હશે. જો તમારું યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય અને ખાતામાંથી કાપવામાં આવેલા પૈસા નિયત સમયમાં પરત ન આવે, તો નિયમ મુજબ બેંક તમને દરરોજ 100 રૂપિયા વળતર આપશે.

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2019 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નિષ્ફળ થતા ટ્રાન્ઝેક્શનને લઈને એક નવો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ અંતર્ગત નિષ્ફળ ટ્રાન્ઝેક્શનના પૈસા પરત આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ સમયગાળાની અંતર્ગત જો ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમાધાન અથવા પૈસા પાછા ન આવે તો બેંકે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. પરિપત્ર મુજબ, સમયમર્યાદા પૂરી થયા પછી દરરોજના 100 રૂપિયાના દરે વળતર આપવું પડશે.

T + 1 માં ઓટો-રિવર્સલ
પરિપત્ર મુજબ, જો યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય અને ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપવામાં આવે, પરંતુ પૈસા લાભકર્તાના ખાતામાં જમા કરવામાં આવતાં નથી, તો ઓટો રિવર્સલ ટ્રાન્ઝેક્શન ટી+1 (ટ્રાન્ઝેક્શન તારીખ +1 દિવસ) દિવસમાં પૂર્ણ થવું જોઈએ.

યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો ફરિયાદ ક્યાં કરવી?
જો તમારા યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર પૈસા પાછા ન આવે, તો તમે સેવા પ્રદાતાને ફરિયાદ કરી શકો છો. તમારે રેજ વિવાદ પર જવું પડશે અને તમે રેજ વિવાદ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આપની ફરિયાદ સાચી છે તેની ચકાસણી પર તમને પૈસા પાછા આપવામાં આવશે. જો ફરિયાદ કરવા છતાં પણ બેંક તરફથી કોઈ જવાબ ન મળ્યો હોય તો તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડિજિટલ ટ્રાંઝેક્શન્સ, 2019 ની Ombudsman Scheme હેઠળ ફરિયાદ કરી શકો છો.

ગયા વર્ષે 5 લાખ કરોડ રૂપિયાનું  ટ્રાંઝેક્શન્સ થયુ.
યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શનમાં દર મહિને 19 ટકાનો વધારો થયો છે અને નાણાકીય વર્ષ 2021 માં 5 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. દેશભરમાં ક્યુઆર (QR Code) આધારિત ચુકવણીમાં વધારો થવાને કારણે પાછલા વર્ષના સમયગાળામાં યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન વેગ પકડ્યો છે.