Top Stories
khissu

જુલાઈ મહિનામાં આ રાશિના લોકોએ રહેવું સાવધાન, ગ્રહો ચાલ બદલશે...

જુલાઈ મહિનામાં સૂર્યની સાથે શુક્ર, મંગળ અને બુધ ગ્રહ પોતાની ચાલ બદલવાના છે. ગ્રહોની આ બદલાયેલી ચાલની અસર તો બધી રાશિ પર થશે પરંતુ કેટલીક રાશિ ધરાવતા લોકોને ખાસ પડકારોનો સામનો કરવો પડશે. 

જુલાઈ મહિનામાં મેષ રાશિવાળા લોકો વધુ ભાવનાત્મક થઇ શકે છે અને માનસિક તણાવ પણ રહેશે. માતા પિતા સાથે વિચારીને વાત કરવી અને ધનહાનિ પણ થઇ શકે છે. તે લોકોએ સૂર્યદેવને જલ અર્પણ કરવાથી આમાંથી બચી શકાશે. 

ત્યારબાદ કર્ક રાશિવાળા લોકોનો આત્મવિશ્વાસ તો વધશે પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. શક્ય હોય એટલો ગુસ્સો પણ ઓછો કરવો. ઉપાય તરીકે શિવની આરાધના કરવી જોઈએ.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

સિંહ રાશિવાળા લોકોને તેમનું કોઈ નજીકનું વ્યક્તિ દગો આપી શકે. બિઝનેસ પણ બહુ સાચવીને કરવો. અંગત સ્વજનો સાથેના સંબંધોમાં ઉતાર ચડાવ પણ આવશે. આમાંથી બચવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવી.

વૃશ્ચિક રાશિવાળા લોકોને કેરિયરમાં તકલીફ પડશે અને એમણે બચાવ તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. મીન રાશિવાળાને ભવિષ્યની ચિંતાઓ સતાવશે પણ ઉતાવળિયા નિર્ણય લેવાઈ જાય એવું બને. તેમણે શિવ ચાલીસાનો પાઠ કરવો.