khissu

પોસ્ટ ખાતાધારકોને મોટો ઝટકો: પોસ્ટ ઓફિસના નવા નિયમો ૧લી તારીખથી લાગુ, જાણી લો આ નિયમો નહીંતર થશે નુકસાન

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank- IPPB) ના ગ્રાહકોએ હવે ડોર સ્ટેપ બેન્કિંગ સેવાઓ મેળવવા માટે કેટલાક વધારાના ચાર્જ ચૂકવવા પડશે. આઈપીપીબીએ તમારા બેંકિંગ ચાર્જમાં ડોર સ્ટેપ બેંકિંગમાં કેટલાક ફેરફાર કર્યા છે, જો તમે ડોર સ્ટેપ બેંકિંગનો લાભ લેવા માંગતા હો, તો 1લી ઓગસ્ટ 2021 થી તમારે 20 રૂપિયા + જીએસટી ચાર્જ ભરવો પડશે. તેનો અમલ 1લી ઓગસ્ટથી કરવામાં આવશે. અત્યાર સુધી ડોર સ્ટેપ બેંકિંગ (Doorstep Banking- DSB) સુવિધા ફ્રીમાં જ શરૂ છે, જે 1લી ઓગસ્ટ પછી નવા નિયમ મુજબ તેનો ચાર્જ વસુલવામાં આવશે. 

1 ઓગસ્ટ, 2021 થી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ ચાર્જ માટે પ્રતિ ગ્રાહક દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઇએ કે હાલમાં જ બેંકે તેના વ્યાજના દરમાં પણ ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી બચત ખાતા ધરાવતા ગ્રાહકોને ઓછું વ્યાજ મળશે.

આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ATM માંથી પૈસા ઉપાડવા થશે વધુ મોંઘા, ૧લી તારીખથી નવો નિયમ લાગુ

આઈપીપીબી ડોર સ્ટેપ બેંકિંગ શું છે?
ડીએસબી સેવાઓની સાથે જ આઈપીપીબી ગ્રાહકો પણ તેમના ઘરે બેઠાં આરામથી બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેવાને ડોર સ્ટેપ સર્વિસ કહેવામાં આવે છે. આ સેવા હેઠળ તમારે તમારા નિયમિત બેંકિંગ વ્યવહારો માટે તમારે ઘરેથી બહાર જવાની જરૂર નથી. આઈપીપીબીની ડોર સ્ટેપ બેંકિંગ સુવિધામાં લગભગ તમામ સેવાઓને આવરી લે છે, જેમ કે ખાતું ખોલવું, રોકડ થાપણ અને ઉપાડ, 24 × 7 મની ટ્રાન્સફર, રિચાર્જ, બિલ ચુકવણી, જીવન વીમા અને સામાન્ય વીમાની ખરીદી વગેરે.

કઈ સર્વિસ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે?
બેંક પહેલી તારીખથી ડોરસ્ટેપ બેંકિંગ પર શુલ્ક લાગુ કરશે. બેંક દ્વારા પ્રતિ ટ્રાંઝેક્શન 20 રૂપિયા + જીએસટી ચાર્જ લેવામાં આવશે.

- પૈસા ઉપાડવા અને જમા કરવા પર 20 રૂપિયા + જીએસટી.

- ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા + જીએસટી.

- અન્ય બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા પર રૂ. 20 + જીએસટી.

- સુકન્યા સમૃદ્ધિ ખાતા, પીપીએફ, આરડી, એલએઆરડી માટે 20 રૂપિયા + જીએસટી.

- બિલ ચુકવણી માટે 20 રૂપિયા + જીએસટી.

- સહાયિત યુપીઆઈ માટે 20 રૂપિયા + જીએસટી.

- સેન્ડ મની સર્વિસ હેઠળ સ્થાયી સૂચનાઓ, સ્વીપ ઇન પીઓએસબી સ્વીપ આઉટ માટે રૂ. 20 + જીએસટી.

કઈ સેવાનો ફ્રીમાં આપવામાં આવશે?
આ સિવાય કેટલીક સેવાઓ એવી છે કે જેના પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. જો તમે પાસબુક અથવા બેલેન્સશીટમાં કોઈ અપડેટ કરો છો, તો છેલ્લા 10 ટ્રાન્ઝેક્શનની વિગતો, નોમિની અપડેશન, પાન અપડેશન, આધાર સીડિંગ, મોબાઈલ નંબર અથવા ઇ-મેઇલ આઈડી અપડેટ, નવું એકાઉન્ટ ખોલાવવા, લાઇફ ઈન્સોરયન્સ (Life Insurance Corporation of India- LIC), રેકેવાયસી, ડાયરેક્ટ મની ટ્રાન્સફર, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના પર બેંક દ્વારા ગ્રાહક પાસેથી કોઈ પણ પ્રકારના નાણાં વસુલવામાં નહીં આવે. 

આ પણ વાંચો: આધારકાર્ડ ધારકો માટે મોટાં સમાચાર: UIDAI અને IPPB ની નવી પહેલ, હવે ઘરે બેઠાં જ થઈ જશે આ કામ

ઓનલાઇન એકાઉન્ટ કેવી રીતે ખોલી શકાય?
- આઈપીપીબી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 'ઓપન એકાઉન્ટ' પર ક્લિક કરો.

- મોબાઇલ નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરો.

- ત્યાર પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે.

- હવે એકાઉન્ટ ખોલનારાના આધારમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.

- હવે કેટલીક વ્યક્તિગત વિગતો દાખલ કરવી પડશે, જેમ કે માતાનું નામ, શૈક્ષણિક લાયકાત, સરનામું અને નામાંકન વિગતો વગેરે.

- સબમિશન પછી ખાતું ખોલવામાં આવશે અને તે એપમાંથી એક્સેસ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં બેંકે ગ્રાહકોની મહત્તમ રકમ એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા રાખવાની મર્યાદા વધારી દીધી છે. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે બેંકના ગ્રાહકોને ક્યૂઆર કાર્ડની સુવિધા પણ મળી છે એટલે કે તમારે કોઈ નંબર યાદ રાખવાની જરૂર નથી. ખાતાધારકની સત્તાધિકરણ પ્રક્રિયા બાયોમેટ્રિક દ્વારા પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ગ્રાહકો માટે મોટાં સમાચાર: જાણી લો આ 7 ફેરફારો નહીંતર નાણાંની લેવડ-દેવડ થશે રદ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.