khissu

એક-એક દિવસને લઈ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જાણી લો મેઘરાજા ક્યા દિવસે કેવી બેટિંગ કરશે

Predictions of Ambalal Patel: અંબાલાલ પટેલે વરસાદ વિશે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 17 ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદ વરસવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. 13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે

અંબાલાલે આગાહી કરી છે કે 13થી 14 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. આ લો પ્રેશર મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. 19 અને 20 સપ્ટેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તેમજ 22 સપ્ટેમ્બરમાં પણ એક સિસ્ટમ બનશે. 21થી 23 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 27થી 28 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને કચ્છના ભાગોમાં પણ મેઘરાજા બેટિંગ કરશે.

ખેડૂતો માટે સોનેરી સલાહ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે પાછોતરો વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાન થાય. કારણ કે નવરાત્રી પછી ચોમાસું પાક તૈયાર થઈને બહાર કાઢવાની તૈયારીઓ ચાલતી હોય છે. મગફળી લેવાઈ ન હોય તો વરસાદના કારણે ઉગી જાય છે કાઢેલા પાકમાં જીવાત પડે શકે છે. ઉલ્લેખનીય છે કે જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ વરસ્યો હતો.

ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો થઇ ગયો છે. જો કે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. ત્યારે અંબાલાલની આગાહી હવે સાચી પડે છે કે કેમ એ આવતા સમયમાં જોવાનું રહેશે.