khissu

શું છે આયુષ્માન કાર્ડ? કેવી રીતે કરશો તેનો ઉપયોગ? અહીં જાણો તેની ઓનલાઈન અરજી કરવાની રીત

કેન્દ્ર સરકાર સામાન્ય લોકોની સુવિધા માટે આયુષ્માન કાર્ડ બનાવે છે. આ અંતર્ગત લોકોને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. પરંતુ ફક્ત આ માહિતી તમારા માટે પૂરતી નથી. તેથી જ આ લેખમાં અમે તમારા માટે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.

શું છે આયુષ્માન કાર્ડ?
આયુષ્માન ભારત કાર્ડ ભારત સરકારના પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જારી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દર વર્ષે લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. પરંતુ આ માટે લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ હોવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તેને ઓનલાઈન બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે...

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં કરો અરજી અને મેળવો મફત સિલાઈ મશીન, જાણો કઇ છે આ યોજના

આયુષ્માન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો?
આધાર કાર્ડ
મોબાઇલ નંબર
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
વય પ્રમાણપત્ર
સરનામાનો પુરાવો

આયુષ્માન કાર્ડ ઓનલાઈન બનાવવા માટેની પ્રક્રિયા
- આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માટે, સૌ પ્રથમ અરજદારે આયુષ્માન ભારત કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://mera.pmjay.gov.in/search/login પર જવું પડશે.
- અહીં તમારે હોમપેજ પર આપેલા લોગિન ઓપ્શનમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, ત્યારપછી તમને OTP આવશે જેને વેરિફિકેશન કરાવવું પડશે.
- હવે તેનું ડેશબોર્ડ ખુલશે, જેમાં તમારે મેનુ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી PMJAY – રાજ્ય યોજનાનો વિકલ્પ પસંદ કરો. હવે તમારી સામે એપ્લાય આયુષ્માન કાર્ડ થ્રુ સ્ટેટ સ્કીમનો વિકલ્પ આવશે, જે તમારે પસંદ કરવો પડશે.
- હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારો પ્રદેશ પસંદ કરવાનો છે. હવે તમારા રેશન કાર્ડમાં નોંધાયેલ પરિવારના તમામ સભ્યોનો ડેટા ઉપલબ્ધ થશે. હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેને ધ્યાનથી વાંચીને ભરવાનું રહેશે.
- તે ભર્યા પછી તમારે સબમિટ કરવાનું રહેશે. હવે તમને અરજી ફોર્મ સબમિટ કરવાની રસીદ મળશે. હવે તમારે વેરિફિકેશન માટે તમારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં જઈને તમારો રજીસ્ટ્રેશન નંબર, આધાર કાર્ડ, રેશન કાર્ડ મેળવવાનું રહેશે, ત્યારપછી તમને તમારું આયુષ્માન કાર્ડ મળી જશે. જો તમે ઇચ્છો, તો તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો છો.

આ પણ વાંચો: આજથી ભારે વરસાદની આગાહી, દરિયામાંથી મોટી સીસ્ટમ ગુજરાત તરફ આવશે

વધુ માહિતી માટે અથવા કોઈપણ પ્રકારની મૂંઝવણ દૂર કરવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર જઈને તપાસ કરી શકો છો.

ઉપરાંત, વધુ વિગતો માટે તમે આયુષ્માન ભારત યોજના ગ્રાહક સંભાળ નંબર 1800-111-565 અથવા 14555નો સંપર્ક કરી શકો છો અથવા તમે કોઈપણ એમ્પેનલ્ડ હેલ્થ કેર પ્રોવાઈડર (EHCP) નો સંપર્ક કરી શકો છો.

આયુષ્માન કાર્ડ ઑફલાઇન મેળવવા માટે ક્યાં જવું?
તમે પબ્લિક સર્વિસ સેન્ટરમાંથી બનાવેલું આયુષ્માન કાર્ડ પણ મેળવી શકો છો.
આ માટે, તે રજિસ્ટર્ડ સરકારી અથવા બિન-સરકારી હોસ્પિટલોમાંથી પણ કરી શકાય છે.