Top Stories
khissu

સૌથી મોટા સમાચાર: 31 ઓક્ટોબર પછી સરકારી બેન્કના ગ્રાહકો પૈસા નહીં ઉપાડી શકે, કરોડો લોકોને મોટો ઝાટકો

Bank of India: જો તમે આ દિવસોમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હવે 31મી ઓક્ટોબરે સરકારી બેંકનું ડેબિટ કાર્ડ નકામું થઈ જશે. સરકારી બેંક BoI (Bank of India)માં ખાતા ધરાવતા ગ્રાહકોના ડેબિટ કાર્ડ હવે નકામા થઈ જશે. BOIએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

બેંકે કહ્યું છે કે 31 ઓક્ટોબર પછી ગ્રાહકો ન તો કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે અને ન તો તેમના ATM કાર્ડમાંથી પૈસા ઉપાડી શકશે. બેંકે આ અંગે ગ્રાહકોને પહેલાથી જ જાણ કરી દીધી છે.

બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગ્રાહક, નિયમનકારી માર્ગદર્શિકા મુજબ, ડેબિટ કાર્ડ સેવાઓનો લાભ લેવા માટે માન્ય મોબાઈલ નંબર ફરજિયાત છે. બેંકે ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ કૃપા કરીને તેમની શાખાની મુલાકાત લે અને ડેબિટ કાર્ડ સેવાઓ બંધ ન થાય તે માટે 31.10.2023 પહેલા તેમનો મોબાઈલ નંબર અપડેટ/રજીસ્ટર કરાવે.

જો તમે પણ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો તરત જ બેંકનો સંપર્ક કરો. આ સિવાય જો તમે ભવિષ્યમાં પણ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માંગતા હોવ તો કોઈપણ વિલંબ કર્યા વિના બ્રાન્ચમાં જઈને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો. નહિંતર તમે ન તો પૈસા ઉપાડી શકશો અને ન તો કાર્ડ દ્વારા અન્ય કોઈ વ્યવહાર કરી શકશો.

બેંકે કહ્યું છે કે ગ્રાહકો ATM અથવા તો ઓનલાઈન દ્વારા નંબર બદલી શકે છે. જો તમે આ કરી શકતા નથી તો તમે શાખાનો સંપર્ક પણ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને નંબર ચેન્જ ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી આપવી પડશે. આ સાથે પાસબુક અને આધાર કાર્ડની કોપી પણ જમા કરાવવાની રહેશે.