Top Stories
khissu

ખેડુતો માટે મોટા સમાચાર: મગફળી અને સોયાબીનના બિયારણ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો અરજી ક્યાં કરવી? અરજી કરવાની છેલ્લી તારીખ?

જુનાગઢ કુષિ યુનિવર્સિટીમાં હાલ મગફળી અને સોયાબીનના બિયારણ માટે ઓનલાઈન અરજી શરુ છે.

ગુજરાતમાં ટુંક સમયમાં ચોમાસાની સીઝન શરૂ થવાની હોવાથી ત્યારે ખેડુતો બિયારણની શોધ કરી રહ્યાં હોય છે ત્યારે જુનાગઢ કુષિ યુનિવર્સિટી દ્વારા હાલમાં મગફળી અને સોયાબીનનાં બિયારણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે.

ઓનલાઈન અરજી કરવા માટેની શરતો:

1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)" માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.

2) મગફળીનું બિયારણ ડોડવાના સ્વરૂપે જ મળશે, મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ સ્વીવકારવામાં આવશે.

3) આગામી ખરીફ-૨૦૨૧ ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં GG-20, GJG-22 અને GJG-૩2 અને સોયાબીનમાં GJS-૩ જાતોનું પ્રમાણિત/ ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તેજ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તેજ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (3૦૦ કિ.ગ્રા. ડોડવા) અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. (બે હેક્ટરની મર્યાદા એટલે કે મગફળીમાં ૨૦ ગુંઠા જમીને એક બેગ અને તે મુજબ ૨૦ ગુંઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય. તેવી જ રીતે સોયાબીનમાં ૪૦ ગુંઠા જમીને એક બેગ અને તે મુજબ ૪૦ ગુંઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય.)

4) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/ વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ “બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ), કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ” ખાતે લેવા આવવું પડશે.

5) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટમ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC Code વંચાય તેવો હોવો જોઈએ.) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્યુ ગણવામાં આવશે નહીં.

6) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્યીથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્ય  ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્યાિરબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.

7) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

8) અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એક વાર થઇ ગયા પછી તેમાં સુધારો થઇ શકશે નહિ. જયારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમ્યાન સુધારી શકશે.

9) હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જેતે સમયે ગુજરાત સરકારશ્રીની સોસ્યલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનીટાઈઝેશન તેમજ COVID-19 સંદર્ભેની તમામ માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનુઁ રહેશે.

જુનાગઢ કુષિ યુનિવર્સિટીમાં મગફળી અને સોયાબીનના બિયારણ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૦૪/૨૦૨૧ છે. અત્યારે જ અરજી કરવા માટે અહીં ક્લીક કરો.