Top Stories
khissu

પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મોટા સમાચાર, સેવિંગ સ્કીમ સંબંધિત નિયમોમાં ફેરફાર, 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો, જાણો

પીપીએફના નિયમોમાં ફેરફાર બાદ હવે પોસ્ટ ઓફિસે તેની બચત યોજના સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે.  ઈન્ડિયા પોસ્ટે હવે પોસ્ટ ઓફિસમાંથી વ્યાજ બચાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

1 એપ્રિલથી વ્યાજના પૈસા કેશમાં નહીં મળે
શું તમને monthly investment યોજના, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ અને SCSS દ્વારા પોસ્ટ ઓફિસમાંથી રોકડમાં વ્યાજના પૈસા મળે છે. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 1 એપ્રિલ, 2022થી તમને આ પૈસા રોકડમાં નહીં મળે.

સરકારના જણાવ્યા અનુસાર, SCSS, MIS અથવા TD એકાઉન્ટ પર મળતું વ્યાજ 1 એપ્રિલથી રોકાણકારોના બચત ખાતામાં સીધું મોકલવામાં આવશે. એટલે કે વ્યાજના પૈસા રોકડમાં મળશે નહીં.

પોસ્ટ ઓફિસ સ્કીમને 31 માર્ચ પહેલા સેવિંગ્સ એકાઉન્ટ સાથે લિંક કરો 
જો તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકના સેવિંગ એકાઉન્ટને તમારી સેવિંગ સ્કીમ સાથે લિંક નથી કરાવ્યું તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે વ્યાજના પૈસા માસિક, ત્રિમાસિક કે વાર્ષિક લેશો તો પણ આ નિયમ લાગુ પડશે. તેથી, 31 માર્ચ, 2022 પહેલા પોસ્ટ ઓફિસ સ્કીમને બચત ખાતા સાથે લિંક કરો.

જો લિંક નહીં કરવામાં આવે તો આ સમસ્યા થશે
જો તમે 31મી માર્ચ સુધીમાં બંને ખાતાઓને લિંક નહીં કરો તો 1લી એપ્રિલ પછી મળતું વ્યાજ પોસ્ટ ઓફિસના અન્ય ખાતામાં જમા કરવામાં આવશે. એકવાર વ્યાજની રકમ અન્ય ઑફિસ ખાતામાં જમા થઈ જાય, તે પોસ્ટ ઑફિસ બચત ખાતાના ચેક દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે.

ખાસ નોંધ
TD એકાઉન્ટનું વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે. જ્યારે 5 વર્ષની માસિક આવક યોજનામાં, વ્યાજના નાણાં માસિક ધોરણે ચૂકવવામાં આવે છે. 5 વર્ષની વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે.