Top Stories
khissu

PNBને લઈને આવ્યા મોટાં સમાચાર: પંજાબ નેશનલ બેંક ગ્રાહકોને આપશે મોટી ભેટ

જો તમે સસ્તું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પંજાબ નેશનલ બેંક (Punjab National Bank India- PNB) તમારા માટે એક ખાસ ઑફર લઈને આવ્યું છે, જેમાં તમને સસ્તામાં રહેણાંક મિલકત ખરીદવાની તક મળી રહી છે. PNB પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. આ તે પ્રોપર્ટીઝ છે જે ડિફોલ્ટની યાદીમાં આવી છે. તો ચાલો જાણીએ કે તમે તમારા સપનાનું ઘર ક્યારે અને કેવી રીતે ખરીદી શકો છો.

તમને જણાવી દઈએ કે આ અંગેની માહિતી IBAPI (Indian Banks Auctions Morgaged Properties Information) દ્વારા આપવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક આ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. આમાં રહેણાંક, વ્યાપારી, ઔદ્યોગિક, કૃષિ મિલકતોનો સમાવેશ થાય છે.

હરાજી ક્યારે થશે?
પંજાબ નેશનલ બેંકે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. બેંકે એક ટ્વિટમાં લખ્યું છે કે મેગા ઈ-ઓક્શન 31 જાન્યુઆરી, 2022ના રોજ કરવામાં આવશે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની ઈ-ઓક્શન કરવામાં આવશે. તમે અહીં વાજબી ભાવે પ્રોપર્ટી ખરીદી શકો છો.

નોંધણી ક્યાં કરવી?
આ મેગા ઈ-ઓક્શન માટે, રસ ધરાવતા બિડરને ઈ-બક્રાય પોર્ટલ https://ibapi.in/ પર નોંધણી કરાવવાની રહેશે. આ પોર્ટલ પર 'બિડર્સ રજિસ્ટ્રેશન' પર ક્લિક કર્યા પછી, મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા નોંધણી કરવાની રહેશે.

KYC દસ્તાવેજની જરૂર પડશે
બિડરને જરૂરી KYC દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. KYC દસ્તાવેજો ઈ-ઓક્શન સેવા પ્રદાતા દ્વારા ચકાસવામાં આવશે. આમાં 2 કામકાજી દિવસ લાગી શકે છે.

બેંકો સમયાંતરે હરાજી કરે છે
તમને જણાવી દઈએ કે પ્રોપર્ટીના માલિકોએ તેમની લોન ચૂકવી નથી એટલે કે  કેટલાક કારણોસર આપી શક્યા નથી. તે તમામ લોકોની જમીન બેંકોએ કબજે કરી લીધી છે. બેંકો દ્વારા સમયાંતરે આવી મિલકતોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં, બેંક મિલકત વેચીને તેની બાકી રકમ વસૂલ કરે છે.