Top Stories
khissu

E KYC બાકી હોય તો કરી નાખજો, નહિતર ખાતામાં નહિ આવે યોજનાના પૈસા,

ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લાભાર્થીઓને 15મો હપ્તો મળેલ ન હોય તો 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે.

લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી છે તેઓ માટે સરકાર દ્વારા તા 21 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી eKYC માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય પદ્ધતિઓ જેમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા eKYC કરાવી શકશે.

તેમજ ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીનો ઉપયોગથી લોગ ઇન કરી અન્ય 10 લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે.

આ ઉપરાંત લાભાર્થીઓનો આધાર સાથે મોબાઇલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે. eKYC સાથે સાથે આધાર સિડીંગ બાકી હોય તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે.