Top Stories
khissu

ગુલાબ વાવાઝોડું / જાણો હાલ ક્યાં છે? કેટલી અસર? ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી?

હાલ વાવાઝોડું ક્યાં છે? 
27 તારીખની સાંજની અપડેટ મુજબ ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડી માંથી આગળ વધીને મધ્ય પ્રદેશના ઉત્તર પશ્ચિમ વિસ્તાર સુધી પહોંચી ગયું છે અને હવે તે આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં પહોંચવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. જ્યારે ગુજરાત પર આવશે ત્યારે ડીપ-ડિપ્રેશન કે ડિપ્રેશનમાં હોય શકે છે.જ્યારે ગુજરાત માંથી ફરી અરબી સમુદ્રમાં જશે ત્યારે ફરી મજબૂત બની શકે છે. જોકે વાવાઝોડા ની અસર ગઈ કાલથી જ ચાલુ થઈ ચૂકી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં વાતાવરણમાં ફેરફાર થવાથી સાથે અમદાવાદ સહિત રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 

40-60 કિ.મી પ્રતિ કલાકની પવન ઝડપ સાથે વરસાદ આગાહી 
સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ના કારણે ગુજરાતના અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિલોમીટરની ગતિ સાથે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુલાબ વાવાઝોડાની અસરના કારણે ખાસ કરીને 28 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ તો 29 તારીખનાં હળવાથી ભારે વરસાદ આગાહી સાથે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ગુલાબ વાવાઝોડાની અસરના કારણે ૨૮ સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તથા 29 સપ્ટેમ્બરે ૪૦ થી ૬૦ કિ.મી. ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.