Top Stories
khissu

ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ૧૦૦% ચકાસણી કરેલું જીવામૃત જાતે જ બનાવો.

જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તે આ પ્રકારના જીવામૃત નો છંટકાવ કરતા હોય છે. તેમના માનવા મુજબ તેઓ પહેલાં જે રાસાયણિક દવાનો ઉપયોગ કરતાં તેની સામે જીવામૃત ખૂબ જ ફાયદાકારક છે.

મિત્રો આ જીવામૃતની લેબોરેટરી ટેસ્ટિંગ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કોઈપણ ખાતર હોય પછી એ DAP હોય કે યુરિયા આ બધા કરતા જીવામૃત ખૂબ જ ઉત્તમ છે.

ચાલો તો આજે આપણે આ જીવામૃત બનાવવાની માહિતી મેળવએ.

૧) જીવામૃત બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર પડશે ?

  • ૨૦૦ લીટર નું બેરલ
  • ૨૦ કિલોગ્રામ ગાયનું છાણ
  • ૧ કિલોગ્રામ ચણાનો લોટ (કોઈપણ કઠોળ નો લોટ ચાલશે.)
  • ૧ કિલોગ્રામ દેશી ગોળ
  • એક ખોબો માટી (રાફડા ની, વડલા કે પીપળા ના થડની માટી)
  • ૧૦ લિટર ગૌમુત્ર

૨) જીવામૃત બનાવવાની રીત :

  • સૌપ્રથમ ૨૦૦ લિટરના બેરલને ૧૭૫ લિટર પાણીથી ભરી દેવું.
  • બીજી બાજુ ૨૦ કિલોગ્રામ ગાયનું છાણ, ૧ કિલોગ્રામ ચણાનો લોટ, ૧ કિલોગ્રામ દેશી ગોળ અને એક ખોબો માટી ને બરાબર મિશ્ર કરી લો.
  • હવે તેમાં ૧૦ લિટર ગૌમુત્ર ભેળવી બરાબર સાથળી લો.
  • ત્યારબાદ આ મિશ્રણને ૧૭૫ લિટર પાણી ભરેલા બેરલમાં નાખી બરાબર હલાવો. (મિત્રો એટલું હલાવો કે ચણાના લોટની ગાંગડી રહી ના જાય.)
  • આ મિશ્રણને રોજ સવાર-સાંજ એક જ દિશામાં (ઘડિયાળના કાંટાની દિશામાં) હલાવતાં રહેવું. [અહીં મિત્રો મિશ્રણ હલાવ્યા બાદ તેને તડકો ન પડે તે રીતે કોથળા થી ઢાંકી દેવું.]
  • ૩ થી ૪ દિવસ સુધી રોજ આ રીતે હલાવ્યા બાદ જીવામૃત તૈયાર જશે. મિત્રો શિયાળામાં ૬ થી ૭ દિવસ લાગે છે પરંતુ ઉનાળામાં ૩ થી ૪ દિવસમાં તૈયાર થઈ જશે.

૩) જીવામૃત નો છંટકાવ કરવા કેટલા પ્રમાણમાં જીવામૃત પાણી માં ભેળવવું ?

  • મિત્રો ૧૦ લિટર પાણી એ ૩૦૦ ml જીવામૃત રહે તે રીતે જીવામૃત ને પાણી માં ભેળવવું.
  •  જીવામૃતને પાણીના ધોરિયા વડે પણ પાઈ શકો છો જેમાં ( ૧ એકર જમીને ૫૦ થી ૭૦ જેટલું જીવામૃત ને પાણીમાં ભેળવી ધોરીયા મારફતે પાકને આપી શકો છો.)

તો ખેડૂત મિત્રો આ ઔર્ગેનીક જીવામૃત બનવાની રીત કેવી લાગી અમને જણાવજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો જેથી એ લોકો પણ ઓર્ગનીક ખેતી તરફ વળે અને એમને ખર્શો પણ ઓછો થાઈ...આભાર