khissu

જુનાગઢ વર્ષા વિજ્ઞાન આગાહી / ચોમાસાની સિઝનમાં 48 દિવસ વરસાદ, 15-18માં વાવણી, ચોમાસું વિદાય ક્યારે? વાવાઝોડું, નક્ષત્રો પરથી..

નમસ્કાર ખેડૂતો, ગુજરાત જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના સભ્ય અને ઉપલેટાના વતની એવા રજનીકાંતભાઇ આર. લાડાણીએ વર્ષ ૨૦૨૩ના વરસાદનો વરતારો આપ્યો છે. તેમણે આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં 48 દિવસ વરસાદ પડશે. સાથે જણાવ્યું છે કે વર્ષ 10 આની અર્થાત્ મધ્યમ રહેશે. હોળીની જાળ અને ચૈત્રિ દનૈયાઓના આધારે તેઓ આગાહી કરતા હોઈ છે.

  • વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રજનીકાંતભાઈ લાડાણીનો વરતારો
  • 15થી 18 જૂન વચ્ચે અનેક વિસ્તારમાં વાવણી લાયક પડશે.
  • 14થી 25 જુલાઈ વચ્ચે સાર્વત્રિક વરસાદના સંજોગ
  • 11 ઓક્ટોબર 2023થી ચોમાસુ વિદાય લેશે.
  • ચોમાસાની સીઝન દરમિયાન 48 દિવસ વરસાદ પડશે.
  • આ વર્ષે વર્ષ મધ્યમ રહેશે, 10 આની વર્ષ થશે.

વાવની લાયક વરસાદ ક્યારે ?
વરસાદના વરતારા આપતાં તેમને જણાવ્યું હતું કે, જેઠ સુદ 14એટલે રોહિણી નક્ષત્ર, અર્થાત્ 3થી 7 જૂન દરમિયાન વાદળો બંધાવાની શરૂઆત થશે. પવન નું જોર ખૂબ જ રહેશે, જેઠ વદ 12થી 30 સુધી અને 15થી 18 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે. જ્યારે અષાઢ વદ 1થી 7 દરમિયાન આદ્રા અને પુર્નવસુ નક્ષત્રમાં 4થી 9 જુલાઇ દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ પડશે.

વિક્રમ સવંત 2069 અને ઈ.સ 2023ના વર્ષાઋતુ ચક્ર ઉપર નજર કરીએ તો.... 
1) જેઠ સુદ ચૌદસથી ચાર સુધી રોહિણી નક્ષત્રમાં તારીખ 3, 4, 5, 6 અને 7નાં રોજ વાદળા બંધાવવાની શરૂઆત થશે અને પવન ખૂબ રહેશે.

2) ત્યારબાદ આગળ જોઇએ તો જેઠવદ બારસથી 30 સુધી મૃગશીર્ષ નક્ષત્રમાં એટલે કે તારીખ 15, 16, 17 અને 18 જૂન દરમિયાન પ્રથમ વાવણી લાયક અમુક વિસ્તારમાં વરસાદ થશે. વરસાદના દિવસો રહેશે 4.

3) ત્યારબાદ આદ્રા અને પુનઃવર્ષૂ નક્ષત્રમાં અષાઢ વદ એકમથી સાત સુધી જુલાઈ મહિનામાં 4થી 9 તારીખ દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ પડશે જે સારો વરસાદ હશે, પોરબંદર બાજુ વધારે વરસાદ થશે. વરસાદના દિવસો રહેશે 6.

4) અષાઢ વદ બારસથી 30 તથા અધિક શ્રાવણ સુદ સુધી અને પુનઃવર્ષુ નક્ષત્રમાં એટલે કે જુલાઈ 14થી 20 તારીખ દરમિયાન અને 21થી 25 તારીખ દરમિયાન સારો વરસાદ સર્વત્ર થશે તથા સમગ્ર ગુજરાતમાં 21 થી 25 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદના દિવસો રહેશે 7.

5) અધિક શ્રાવણ વદ પાસમથી અગિયારસ સુધી એટલે કે આશ્લેષા  નક્ષત્રમાં અને ઓગસ્ટ મહિનામાં 6 થી11 તારીખ દરમિયાન ખૂબ સારો, વરસાદ થાય. વરસાદના દિવસો રહેશે 6. 

6) આગળ તેમણે જણાવ્યું હતું કે શ્રાવણ સુદ આઠમથી મધા નક્ષત્રમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં તારીખ 24 થી 28 દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. જેમાં વરસાદના પાંચ દિવસો રહેશે. 

7) શ્રાવણ વદ 9થી 13 સુધી એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં અને સપ્ટેમ્બર મહિનામાં તારીખ 8થી 12 સુધી ગાંજવીજ સાથે વરસાદ થશે, વીજળી પડવાથી અકસ્માત પણ થાય તેવી આગાહી કરી છે, સાથે વરસાદના પાંચ દિવસો રહેશે.

8) ભાદરવા સુદ ૨થી ૪ એટલે કે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં અને સપ્ટેમ્બર મહિનામાં 17થી 19 તારીખ દરમિયાન જામનગર જિલ્લામાં સારો વરસાદ થશે, વાવાઝોડું પણ થાય અને તોફાની પવન પણ આવી શકે. વરસાદના દિવસો ત્રણ દિવસો રહેશે. 

9) ભાદરવા સુદ સાતમથી નોમ વચ્ચે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં સપ્ટેમ્બર મહિનામાં 22 થી 24 તારીખ વચ્ચે જામનગર બાજુ સારો વરસાદ થાય પવન સાથે. વરસાદના દિવસ 3. 

10) ભાદરવા સુદ તેરશે એટલે કે હસ્ત એટલે કે હાથી નક્ષત્રમાં તારીખ 27 ના રોજ અમુક જગ્યાએ પોરબંદર જિલ્લામાં સારો વરસાદ થાય તેવી આગાહી. વરસાદનો દિવસ એક. 

11) ભાદરવા વદ પાસમથી છઠ માં હાથી નક્ષત્રમાં તારીખ 3થી 10 ઓક્ટોબર વચ્ચે છૂટો છવાયો વરસાદ અમુક જગ્યાએ થાય. અને 11/10/ 2023થી ચોમાસુ વિદાય થાય તેવી આગાહી. વરસાદના દિવસો રહેશે 8.

આમ, રજનીકાંત ભાઈ આગાહી કરતા કહ્યું હતું કે વરસાદના ટોટલ 48 દિવસો રહેશે. જ્યારે 11 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે. હોળીની જાળ આ વર્ષે ઈશાન તથા પૂર્વ બાજુ ગઈ હતી જેમને કારણે વરસ સાધારણ રહેશે. ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયા વરસાદ પડશે અને ત્યાર પછી 11 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે.