Top Stories
khissu

ગુજરાત માંથી ચોમાસું ક્યારે વિદાઈ લેશે?

છેલ્લા ચાર-પાંચ દિવસમા પશ્વિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો છે. જોકે પાછોતરા વરસાદ ખેતીના પાકોને નુકસાન પહોંચાડતા હોય છે. સૌરાષ્ટ્રમાં નોર્મલ વરસાદ કરતાં જે વરસાદની ઘટ હતી એમાં માત્ર હવે 7% ટકાનો ઘટાડો રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી 37% જેટલી વરસાદની ઘટ નોંધાઈ રહી છે. તેમ છતાં સૌરાષ્ટ્રના ઘણાં ખેડૂતો વરસાદ વિદાયની રાહ જોઈ રહ્યા છે. આપ સૌ જાણો છો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી પાછોતરા વરસાદ ખૂબ જ વધારે પડી રહ્યા છે. પાછોતરા વરસાદ મગફળી,કપાસ, બાજરી, કઠોળ જેવા ધાન્ય પાકોને નુકસાન પહોંચાડતા હોય છે. Weather મોડેલ મુજબ આગામી દિવસોમાં બેક-ટુ-બેક લો-પ્રેશર સિસ્ટમું બની રહી છે. ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલે છે કે ચોમાસુ વિદાય ક્યારે લેશે?

ચોમાસુ ક્યારે વિદાય લઈ શકે?
સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારત માંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ચોમાસુ મોડું વિદાય લે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ચોમાસું સમયસર બેસી ગયું હતું અને હવે વિદાય મોડું લે તેવું લાગી રહ્યું છે. 

સ્કાયમેટના એક અહેવાલમાં જણાવ્યા મુજબ 17 સપ્ટેમ્બર પછી ભારતમાંથી ચોમાસાની વિદાય ચાલુ થઈ શકે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. અથવા તો સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ચોમાસુ વિદાય લઇ શકે છે. ગયા મહિના કરતા પણ વધારે સક્રિય ચોમાસું આ મહીને રહ્યું છે. અને આવનાર દિવસો માટે MJO પણ મજબુત છે. 

ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લઇ શકે? 
અમારા વેધર મોડલના અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ શકે છે. હાલમાં એક લો-પ્રેશર સિસ્ટમની અસર ચાલુ છે. જ્યારે 20 તારીખ આજુબાજુ પણ બંગાળની ખાડીમાં બીજું નબળું લો-પ્રેસર બની શકે છે. તેમની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. માટે ચોમાસું વિદાય મોડું લઈ શકે છે. 

ગુજરાત રાજ્યમાં 24 તારીખ સુધી છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે. 
હાલમાં ગુજરાતમાં એક લો-પ્રેશર સિસ્ટમની થોડી ઘણી અસર ચાલુ છે. જ્યારે બીજું લો-પ્રેશર ગુજરાત પર આવશે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં 16, 17, 18 તારીખ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ ફરીથી 20 તારીખ આજુબાજુમાં એક નબળું લો-પ્રેશર બંગાળની ખાડીમાં સક્રિય બનશે તેમની અસર પણ તે પછીના દિવસોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે. વેધર મોડલ મુજબ 24 તારીખ સુધી ગુજરાતમાં હળવા, મધ્યમ-સામાન્ય ઝાપટા પડી શકે છે. ત્યાર બાદ આગળ વધારે માહિતી અમે Khissu ની Application માં જણાવતાં રહીશું. માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.