Top Stories
khissu

SBI ખાતા ધારકો આવી ખુશ-ખબર/ મહિને માત્ર 28 રૂપિયા જમા કરો, મળશે લાખો રુપિયાનો ફાયદો

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને બે યોજનાઓ વિશે માહિતી આપી છે. SBIએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, 'તમારી જરૂરિયાત મુજબ વીમો લો અને ચિંતામુક્ત જીવન જીવો. ઓટો ડેબિટ સુવિધા દ્વારા બચત બેંક ખાતાધારકો પાસેથી પ્રીમિયમ કાપવામાં આવશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY):- તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય અથવા સંપૂર્ણ રીતે અક્ષમ થઈ જાય તો 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. 

આ યોજના હેઠળ, જો વીમા ધારક આંશિક અને કાયમી રૂપે અક્ષમ થઈ જાય છે, તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આમાં, 18 થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ કવર લઈ શકે છે. આ સ્કીમનું વાર્ષિક પ્રીમિયમ પણ માત્ર 12 રૂપિયા છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY):- નોંધનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ, નોમિનીને વીમાધારકના મૃત્યુ પર 2 લાખ રૂપિયા મળે છે. 18 થી 50 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ માટે તમારે ફક્ત 330 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. તમને જણાવી દઈએ કે આ બંને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી છે. આ વીમો આખા વર્ષ માટે છે.

સરકારની યોજનાઓ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) જે તમને 4 લાખ રૂપિયા સુધીનું કવર આપે છે.