Top Stories
khissu

કેન્સરના ઉપચાર તરીકે ભગવાનનો ઉપકાર મનાતું ફળ - રામફળ (ગ્રેવીઓલા)

રામફળ તરીકે ઓળખાતું આ ફળ ને ગ્રેવીઓલા તરીકે પણ ઓળખાય છે. મોટાભાગે આ ફળ દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં આ ફળ થાય છે.

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફળનો રસ પીવાથી કેન્સર જેવી બીમારી દૂર થઈ શકે છે. આ ફળ ભારતમાં પણ ઘણા પ્રદેશોમાં જોવા મળે છે. ખાસ કરીને હૈદરાબાદમાં રામફળ વધુ જોવા મળે છે.

ભારતમાં આ ફળને રામફળ ઉપરાંત હનુમાન ફળ તરીકે પણ લોકો ઓળખે છે. આ ફળનો રસ પેટનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અગ્નાશય નું કેન્સર અને ફેફસાનું કેન્સર ના ઈલાજ માટે ઉત્તમ ગણાય છે. આ ફળમાંથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે.

આ ફળને કેન્સરના પ્રાકૃતિક ઉપચાર માટે ભગવાનનો ઉપકાર માનવામાં આવે છે તેથી જ તેનું નામ રામફળ રાખવામાં આવ્યું છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે અને તેને કાચું પણ ખાઈ શકાય અને તેનો રસ કરીને પી પણ શકાય. રિસર્ચ કરતા જાણવા મળ્યું છે કે આ ફળ કીમોથેરાપી કરતાં પણ 10 ગણું લાભદાયક છે.