khissu

દુનિયા ની સાત અજાયબી પૈકીની એક ઇજિપ્તના પિરામિડ ના અદભુત રહસ્ય

તમે લોકોએ દુનિયા ની સાત અજાયબી વિશે તો સાંભળ્યું જ હશે. તાજ મહલ પણ સાત અજાયબી પૈકીની એક છે. તેવી જ એક અજાયબી છે ઇજિપ્તનો પિરામિડ. શું તમે ક્યારેય વિચાર્યું છે ફેશન માટે બિલકુલ ટેકનોલોજી હતી જ નહી ત્યારે આવા મોટા પિરામિડ કેવી રીતે બનાવ્યા, બનાવવામાં શું શું ઉપયોગમા લીધું? તો ચાલો જોઈએ પિરામિડ વિશે કેટલાક અદ્ભુત તથ્યોને.

1) એવું માનવામાં આવે છે કે આ પિરામિડો રાજા અને મહારાજાઓના મૃત શરીરને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. એની મમ્મી પણ કહેવામાં આવે છે.

2) અત્યાર સુધી જેટલા પણ પિરામિડ મળ્યા છે તેમાં એક પણ મમ્મી મળ્યું નથી. સંશોધકોને અનુસાર પિરામિડ ની અંદર એવા બીજા ઘણા ગુપ્તા રૂમ છે જેની અત્યારે એક સંશોધકો પાસે કોઈ જાણકારી નથી. બની શકે છે કે મમ્મી તે કોઈ રૂમ હોય.

3) ઇજિપ્તમાં અત્યાર સુધી 138 પિરામિડ મળી આવ્યા છે તેમાંથી સૌથી પ્રસિદ્ધ ગીઝાનો પિરામીડ છે. 

4) ગીઝાનો પિરામીડ 450 ફુટ સુધી ઊંચો છે. 19મી સદી સુધી આ પિરામિડ દુનિયાની સૌથી મોટી ઈમારત હતી. આ પિરામિડ 13 એકર માં ફેલાયેલો છે જેનું ક્ષેત્રફળ ફૂટબોલના 16 મેદાનો જેટલું થાય.

5) એક પિરામિડ બનાવવા માટે ૨૫ લાખ નાના પથ્થરો ની જરૂર પડે. અત્યારે આટલી ટેકનોલોજી હોવા છતાં એન્જીનીયરો માને છે કે બીજાના પિરામિડ જેવો બીજો પિરામિડ બનાવવો શક્ય છે.

6) પિરામિડ બનાવવામાં 25 લાખ પથ્થરનો એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે તેના વચ્ચે એક નાની સોય ખોસવાની પણ જગ્યા નથી.

7) પીરામીડ નું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે ગમે તેટલો મોટો ભૂકંપ આવે તો પણ પિરામિડની ઇમારતને કંઈ પણ નુકસાન ના થાય.

8) પિરામિડ કેવી રીતે બનાવવામાં આવ્યું છે કે કોઈપણ ઋતુ કે કોઈપણ સંજોગોમાં અંદરનું તાપમાન 20 સેલ્સિયસ ની આજુબાજુ જ રહે છે.

9) પિરામિડ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલા જૂના ના કેટલાક પથ્થરનું વજન ૩૦ ટન જેટલું છે. જરા વિચારો આટલા વજન નો પથ્થર કઈ રીતે ટોચે પહોંચ્યો હશે તે પણ કોઈપણ યંત્રની મદદ લીધા વગર.

10) ત્યાંના લોકોમાં એવી માન્યતા છે કે પિરામિડ ની અંદર જવાથી મમ્મી શ્રાપ આપે છે અને જનાર ટૂંક સમયમાં જ મૃત્યુ થઈ જાય છે.