khissu

નોટા વોટિંગ શું છે? જાણો કામની કેટલીક બાબતો વિશે

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી થશે. 89 બેઠકો પર 1 ડિસેમ્બરે ચૂંટણી થશે. જ્યારે 93 સિટો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. જો કે મતગણતરી હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે કરવામાં આવશે.  આ મતદાન દરમિયાન, તમે EVM માં અન્ય ઉમેદવારોના નામ સાથે NOTA નો વિકલ્પ પણ જોશો. આજે આપણે જાણીશું કે આ NOTA શું છે અને તેની સાથે જોડાયેલી ખાસ બાબતો શું છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ 'તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ' કરી શરૂ, પંજાબ એન્ડ સિંધ બેંકે પણ દરમાં કર્યો વધારો

NOTA શું છે?
NOTA નું પૂરું નામ None of the above  એટલે કે ઉપર જણાવેલ નામોમાંથી કોઈ નહિ. આ તે મતદારો માટે છે જેઓ કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતા નથી. 2009 માં, સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને દરેક ચૂંટણી મતપત્ર પર આ વિકલ્પ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. પરંતુ સરકારે તેનો વિરોધ કર્યો હતો. 2013 માં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દરેક મતદારને 'NOTA' ને મત આપવાનો અધિકાર છે.  ત્યારપછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં NOTAનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. NOTAની શરૂઆત 2014ની ચૂંટણીથી થઈ હતી.

NOTA મતોની ગણતરી
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે NOTA મતો ગણાય છે.  પરંતુ તેઓ ગેરકાયદેસર મત ગણાય છે. આથી ચૂંટણીના પરિણામો પર નોટાના મતની કોઈ અસર નથી. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ કહ્યું હતું કે, "જો 100 માંથી 99 મત NOTA માટે પડે છે અને ઉમેદવારને એક મત મળે છે, તો તે ઉમેદવારને વિજેતા માનવામાં આવશે." બાકીના મતો અમાન્ય જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: કપાસની આવકોમાં ધૂમ તેજી: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

તો પછી NOTA ની શું જરૂર છે?
NOTA મતદારોને ઉમેદવાર સામે તેમનો અસંતોષ વ્યક્ત કરવાની તક આપે છે. આનાથી વધુને વધુ લોકો મતદાન કરી શકશે, પછી ભલે તેઓને કોઈ ઉમેદવાર પસંદ ન હોય.  ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ પી. સતશિવમની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે નકારાત્મક મતદાનથી ચૂંટણીની વ્યવસ્થા બદલાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આનાથી રાજકીય પક્ષોને ચૂંટણીમાં સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો ઉભા કરવા દબાણ થશે.