Top Stories
khissu

પૂજા કે મંદિરમાં નાળિયેર બગડેલું નીકળે તો ભગવાન સ્વીકારે ખરાં? ઉભું ફૂટે તો શું થાય? જાણો બધી જ વાતો

Coconut Of Worship: હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા નારિયેળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી. કોઈપણ પૂજા કે યજ્ઞમાં નારિયેળ ફોડ્યા વિના પૂજા શરૂ થતી નથી. નારિયેળનો ઉપયોગ તમામ શુભ કાર્યો અથવા ધાર્મિક વિધિઓમાં શુભ માનવામાં આવે છે.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

પૂજાની શરૂઆતમાં નાળિયેર ફોડવાની પરંપરા આજની જ નહીં પરંતુ ઘણા સમયથી ચાલી આવે છે. ઘણી વખત પૂજા દરમિયાન ફૂટેલા નારિયેળ બગડી જાય છે. શું પૂજા દરમિયાન બગડેલું નાળિયેર કોઈ સંકેત આપે છે? ઘણા લોકો બગડેલા નારિયેળને ખરાબ સંકેત માને છે. શું એવું માનવું યોગ્ય છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

નાળિયેરનો સંબંધ સીધો ભગવાન સાથે છે

તમને જણાવી દઈએ કે નારિયેળને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો પૂજા દરમિયાન નાળિયેર બગડેલું નીકળે તો પણ ગભરાવાની જરૂર નથી. વાસ્તવમાં બગડેલું નાળિયેર બહાર આવવું એ શુભ સંકેત દર્શાવે છે. આ સૂચવે છે કે વ્યક્તિની પૂજા સાર્થક છે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

સૂકુ નાળિયેર નીકળવું

ઘણી વખત પૂજા કે યજ્ઞ દરમિયાન નાળિયેર ફોડવામાં આવે તો તે અંદરથી સુકાઈ ગયેલું હોય છે. આવી સ્થિતિમાં ડરવાની જરૂર નથી, બલ્કે તે એક સારા સંકેત તરફ ઈશારો કરે છે. વાસ્તવમાં નારિયેળ બહારથી સૂકુ આવવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ પૂજા અથવા યજ્ઞ કરી રહ્યો છે તે ઇચ્છા પૂર્ણ થશે અથવા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઇ રહી છે.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

આવા નારિયેળ શુભ શુકન આપે છે

તમને જણાવી દઈએ કે જો નારિયેળ ફૂટવા પર સારું અને મસ્ત નીકળે છે, તો તે એક શુભ સંકેત દર્શાવે છે. આવા નાળિયેરની દાળ પૂજા કરનાર વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે. વ્યક્તિ જે પણ ઈચ્છા સાથે પૂજા કરે છે, તે જલ્દી જ પૂરી થઈ જાય છે. 

ધ્યાનમાં રાખો કે પૂજા પૂર્ણ થયા પછી, નારિયેળને પ્રસાદ તરીકે બધામાં વહેંચો. તેનાથી પૂજાનું ફળ મળે છે. આ સાથે જ નાળિયેર ઉભૂ ફૂટે કે આડું ફૂટે તો નસીબ કંઈ વધારે સારા કહેવાય એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ મળતો નથી.